માનવ સેવામાં તેમના અદ્વિતીય યોગદાન બદલ સંત નિરંકારી મિશનને ભારતના વિવિધ શહેરોમાં ખાસ સન્માનિત કરવામાં આવ્યું છે.
સેવાદળ સંચાલિકા આરતી તહેલરામણી જી જણાવ્યું કે માનવતાની નિસ્વાર્થ સેવાના પથ પર અગ્રેસર સંત નિરંકારી મિશન, સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજના દિવ્ય માર્ગદર્શન માં સમાજ કલ્યાણ હેતુ નિરંતર સમર્પિત ભાવ થી કાર્ય કરી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં આવેલી કુદરતી આફતો જેવી કે પૂર, વાદળ ફાટવું અને ઑપરેશન સિંદૂરના સમયે, મિશને અત્યંત સંવેદનશીલતા અને તત્પરતા સાથે રાહત કાર્યોમાં ભાગીદારી નોંધાવી. પ્રભાવિત પરિવારો સુધી ખાદ્ય સામગ્રી, દવાઓ અને જરૂરી સહાય પહોંચાડીને મિશને ફરી એકવાર સાબિત કર્યું કે તે માનવ સેવાના દરેક કાર્યમાં સજાગ અને સક્રિય છે. આ સેવાઓની વ્યાપક પ્રશંસા સમાજના વિવિધ વર્ગો તેમજ સરકાર દ્વારા પણ કરવામાં આવી.
આ જ ક્રમમાં, નગરના શેર-એ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર ખાતે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં જમ્મુ અને કાશ્મીરના માનનીય નાયબ રાજ્યપાલ મનોજ સિન્હા જીએ સંત નિરંકારી મંડળના સચિવ જોગિન્દર સુખીજાને મિશનની આ નિઃસ્વાર્થ સેવા માટે વિશેષ સન્માન આપ્યું. સન્માન સ્વીકારતા જોગિન્દર સુખીજાએ કહ્યું, “સંત નિરંકારી મિશન, સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજની પ્રેરણાથી હંમેશા સમાજ કલ્યાણ અને માનવ સેવા માટે પ્રતિબદ્ધ છે. અમારો દરેક પ્રયાસ સેવા, સમર્પણ અને એકત્વના સિદ્ધાંતો પર આધારિત છે. ભલે તે કુદરતી આફતોમાં રાહત હોય કે રક્તદાન જેવા જીવનદાયી અભિયાનોમાં ભાગીદારી, મિશન હંમેશા અગ્રણી રહ્યું છે. અમારો ઉદ્દેશ્ય છે - ‘દરેક માનવ સુધી પ્રેમ, શાંતિ અને એકતાનો સંદેશો પહોંચાડવો.'
આ ક્રમમાં આ વર્ષે પણ મિશન દ્વારા દેશના અનેક રાજ્યો સહિત રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રયાસોને સમાજ અને સરકાર તરફથી પૂરતો પ્રતિસાદ અને પ્રશંસા મળી રહી છે. માનવ સેવાના આ ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાતા દિવસના ઉપલક્ષ્યમાં એઈમ્સ, નવી દિલ્હી ખાતેના બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ દ્વારા સંત નિરંકારી મંડળના મહાસચિવ સુખદેવ જીને મિશનની આ દિવ્ય સેવા માટે વિશેષ સન્માન આપવામાં આવ્યું. આ પ્રસંગે મિશનના મેડિકલ સર્વિસ કોઓર્ડિનેટર ડૉ.નરેશ અરોરા જીની ગૌરવપૂર્ણ હાજરી પણ રહી.
સંત નિરંકારી મિશનના સેક્રેટરી જોગિન્દર સુખીજા જીએ જણાવ્યું કે, મિશનના સમર્પિત ભક્તો રક્તદાનને માત્ર સેવા નહીં, પરંતુ તેમની ભક્તિનો અભિન્ન ભાગ માનીને પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. અત્યાર સુધીમાં મિશન દ્વારા આશરે 14 લાખ, 50 હજાર યુનિટ રક્તનું દાન કરવામાં આવ્યું છે, જે માનવતા પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને જવાબદારીને દર્શાવે છે...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
