મહાકુંભમાં એક તરફ કરોડો લોકો સ્નાન અને સાધના કરીને પુણ્યનું ભાથુ બાંધી રહ્યા છે, બીજી તરફ દેશની ખ્યાતનામ વ્યકિતઓ પણ પહોંચી રહી છે, દરમ્યાનમાં જામનગર-દેવભુમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં સાધના કરી હતી, દેશના ઉન્નતી અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી. એમના ફેસબુક પર મુકાયેલ તસવીરો સાથેના લખાણમાં જણાવવામાં આવ્યું છે કે, મહાકુંભ એ સાધના, સિઘ્ધી અને સ્નાનનો ઉત્સવ છે, ગંગા, યમુના, સરસ્વતી નદીઓના પાવનકારી મહાસંગમમાં સ્નાન એ મહાકુંભ ૨૦૨૫નો વિશેષ અવસર છે, તેમાંય મહત્વપૂર્ણ તિથી, મૌની અમાવસ્યાના દિવસે, ગૃહ મંડળના અલૌકીક સાયુજય સમયે, મહાકુંભ મેળાના માત્ર ત્રણ અમૃત સ્નાનમાંના એક એવા આ અનન્ય પુણ્ય પ્રદાન કરનારા દિવસે, અમૃત સ્નાનનો લ્હાવો એ જલ, પૃથ્વી, વાયુ અને આકાશ મહાભૂતના સાયુજયના સાક્ષાત્કારના અવસર સમાન બની રહ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech