પશ્ર્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો

  • April 21, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પશ્ર્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગણી સાથે પોરબંદરમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આવેદન પાઠવાયું છે.
પશ્ર્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી  માંગ પોરબંદર વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા પશ્ર્ચિમ બંગાળમાં હિંદુ ધર્મના લોકોને સંસદમાં પસાર થયેલ વકફ બોર્ડ બિલના વિરોધમાં હિન્દુ ધર્મના મંદિરો હિંદુ ધર્મના લોકો ટાર્ગેટ કરી અત્યાચારો થઈ રહ્યા છે,
ત્યાંની મમતા બેનરજીની સરકાર આવા બનાવો રોકવામાં સદંતર નિષ્ફળ રહી છે,ત્યારે સમગ્ર ભારતભરમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્રમ અને કલેક્ટરના માધ્યમથી મહા મુહિમ રાષ્ટ્રપતિને આવેદન આપવાનો કાર્યક્રમ કરવામાં આવેલો અને પશ્ર્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે અને હિંદુ ધર્મના લોકો પર અત્યાચાર કરનાર લોકોને કડક માં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોરબંદર વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application