24 ફેબ્રુઆરી સોમવારે સાંજે 6 વાગ્યાનો શો દેખાડવામાં આવશે
જામનગરમાં હિન્દુ સેના દ્વારા તારીખ 19 ફેબ્રુઆરી 2025 ના રોજ છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતી નિમિત્તે હિન્દુ સેનાના જવાબદાર હોદ્દેદારો દ્વારા એકત્રિત થઈ છત્રપતિ શિવાજી મહારાજને યાદ કરી તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજે સનાતન હિંદુ ધર્મ માટે લડતા લડતા પોતાનું જીવન બલિદાન કરી દીધું પરંતુ ઇસ્લામને કબૂલ ન કર્યું તેને લઈ દેશમાં છત્રપતિ સંભાજી મહારાજની ફિલ્મ છાવા દશર્વિાઈ રહી છે, ત્યારે આજે છત્રપતિ શિવાજી જન્મ જયંતી નિમિત્તે હિંદુ સેનાએ પણ સંકલ્પ લીધો અને આજની યુવા પેઢીઓને છત્રપતિ શિવાજી મહારાજ ના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના બલિદાનથી પ્રેરણા મળે અને યુવા ધનમાં જોશ જુસ્સો જળવાઈ રહે તે માટે તારીખ 24 ફેબ્રુઆરી 2025 ના સોમવારે સાંજે છ વાગ્યાના શોમાં હિન્દુ સેના તરફથી નિશુલ્ક ફિલ્મ બતાવવામાં આવશે જેમાં હિન્દુ સેનાના સૈનિકો સહિત હિન્દુ યુવાનો જોડાઈ શકે છે.
આ ફિલ્મ જોવા માટે શનિવાર સવારે 10.00 થી બપોરે 2.00 દરમિયાન ફોન નં. 9327668675, 8238545303 પર સંપર્ક કરી, આધારકાર્ડ, પાનકાર્ડ, લાઇસન્સ, જેવા ફોટો આઈડી પ્રૂફ સાથે રજીસ્ટ્રેશન કરાવું ફરજીયાત છે. વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન થશે. જેમનું રજીસ્ટ્રેશન થયેલ નહિ હોય તેમનો પ્રવેશ રહેશે નહિ, આ શો ફક્ત હિન્દુ યુવાવર્ગ જેમની ઉંમર 14 થી ઉપર હસે તેમના માટેજ રહેશે હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિતે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ શંભાજી મહારાજની ફિલ્મ છાવાને નિશુલ્ક બતાવવાની જાહેરાત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMરાજકોટ મનપામાં ભરતીનો મેસેજ વાયરલ, તંત્ર ધંધે લાગ્યું, છેતરપીંડીનો ભોગ ન બનવા અપીલ
April 21, 2025 05:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech