કલ્યાણપુર તાલુકાના નવા ગઢકા ગામે રહેતા મોહનભાઈ રણમલભાઈ પરમાર નામના 60 વર્ષના વૃદ્ધ થોડા સમય પૂર્વે તેમના ખેતરે થ્રેસર મશીન રીપેર કરી રહ્યા હતા, ત્યારે અકસ્માતે થ્રેસર મશીન માથે પડતા તેઓ દબાઈ ગયા હતા અને તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ ગોરધનભાઈ રણમલભાઈ પરમાર (ઉ.વ. 61) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
ખંભાળિયા નજીક બોલેરોની અડફેટે બાઈક ચાલક યુવાન ઈજાગ્રસ્ત
ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે રહેતા રણછોડભાઈ કાનાભાઈ સોનગરા નામના 36 વર્ષના યુવાન તેમના જી.જે. 37 ક્યુ 0928 નંબરના મોટરસાયકલ પર બેસીને ભાટિયાથી બેરાજા ગામે જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના આશરે 12:30 વાગ્યાના સમયે દાત્રાણા ગામના પાટીયાથી આગળ પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 18 બી.વી. 6244 નંબરના બોલેરો વાહનના ચાલકે રણછોડભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે રણછોડભાઈ સોનગરાની ફરિયાદ પરથી બોલેરોના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech