ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 95 નવા કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસની સંખ્યા 397 પર પહોંચી ગઈ છે. આ આંકડા આરોગ્ય તંત્ર માટે નવી ચિંતા ઉભી કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ નવા નોંધાયેલા કેસોમાંથી 375 દર્દીઓ હાલ હોમ આઈસોલેશનમાં છે, જ્યારે 22 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ વધતા કેસોની સાથે રાજ્યમાં કોરોનાથી બે મૃત્યુ પણ નોંધાયા છે, જેમાં એક 47 વર્ષીય મહિલા અને એક 18 વર્ષીય ગર્ભવતી યુવતીનો સમાવેશ થાય છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે.
રાજકોટ શહેરમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. આજે રાજકોટમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાતા કુલ આંકડો 44 પર પહોંચ્યો છે. રાજકોટમાં હાલ 38 જેટલા દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.
કોરોનાના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવા, માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને ભીડવાળી જગ્યાઓ ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. હોસ્પિટલોને પણ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં આઈએએસની ૫૬ જગ્યા ખાલી સ્ટ્રેન્થ વધારવા કેન્દ્ર સરકારમાં શે રજૂઆત
June 04, 2025 03:53 PMદબાણ હટાવ ટીમ સાથે ચકમક બાદ વેપારીઓ રજુઆત માટે દોડી ગયા
June 04, 2025 03:38 PMતળાજામાં મારામારીની જુદીજુદી ઘટનામાં આઠને લોહીયાળ ઈજા
June 04, 2025 03:36 PMજામનગર જીલ્લા કલેકટરે ચંદ્રગઢ ગ્રામપંચાયતની મુલાકાત લઇ રેકર્ડ ચકાસણી કરી
June 04, 2025 03:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech