દબાણ હટાવ ટીમ સાથે ચકમક બાદ વેપારીઓ રજુઆત માટે દોડી ગયા

  • June 04, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા શહેરના દિવાનપરા રોડ અને જમાદાર શેરીમાં રોડને અડચણરૂપ દબાણો અને ઓટલા દૂર કર્યા હતા. દરમ્યાન દીવાનપરા રોડ પર દબાણ હટાવ સેલ સાથે ચકમક બાદ વેપારીઓ મહાપાલિકા કચેરી ખાતે રજુઆત માટે દોડી ગયા હતા.
છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવની કામગીરી સુષુપ્ત અવસ્થામાં છે. કોઈ ફરિયાદ કરે ત્યારે જ તંત્રને દબાણ દેખાય છે. ત્યારે ગઈકાલે દબાણ હટાવ સેલ દ્વારા દિવાનપરા રોડ અને જમાદાર શેરીમાં પાર્કિંગની જગ્યામાં રાખેલ ચીજવસ્તુ જપ્ત કરી હતી. તેમજ બહાર બાંધકામ કરેલ ગેરકાયદેસર ઓટલાને તોડી પાડયા હતા.
દિવાનપરા રોડ પર અનેક દુકાનો એ બહાર રાખેલ ચીજ વસ્તુઓ છતાં સંકલ્પ કોમ્પ્લેક્સમાં ફર્નિચરની દુકાન દ્વારા ફૂટપાથ પર રાખેલ ખુરશી સહિતનું જપ્ત કરતા ભવેપારી સાથે દબાણ હટાવ સેલને આ શાબ્દિક ચકમક ઝરી હતી. જેમાં વેપારીઓ  દ્વારા તેઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા હતા.ત્યાર બાદ વેપારીઓ રજુઆત માટે મહાપાલિકા કચેરી ખાતે દોડી ગયા હતા. મહાપાલિકામાં  ઓનલાઈન ફરિયાદ હોવાને કારણે દિવાનપરા રોડ પર ફર્નિચર વાળાનું દબાણ હટાવ્યાનું તંત્ર વાહકો દ્વારા જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application