પોરબંદરમાં નવીબંદર ખારવાસમાજના વિદ્યાર્થીઓને અપાયુ કારકિર્દીલક્ષી માર્ગદર્શન

  • April 21, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં શ્રી નવીબંદર સમસ્ત ખારવા સમાજ વિદ્યાર્થી મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
શ્રી નવીબંદર ખારવા વિદ્યાર્થી મંડળ-ટ્રસ્ટ પોરબંદર દ્વારા કારકીર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતુ. તેમાં ધોરણ ૧૦ પછી શું? ધોરણ ૧૨ પછી શું? કોલેજ બાદ શું? સરકારી નોકરી કઇ રીતે મેળવવી? વગેરેનું સર્ંપર્ણ માર્ગદર્શન જિજ્ઞેશભાઇ ચૌહાણે દ્વારા આપવામાં આવેલ. આ સેમિનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઇ-બહેનો તથા વાલીઓએ હાજરી આપી હતી અને ધોરણ ૧૦, ૧૨પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અખબારોના વાંચન પર ભાર મૂકવામાં આવ્યો હતો  એટલું જ નહીં પરંતુ રાજ્ય સરકારમાં કલાસ-૧ અને કલાસ-૨ અધિકારીની નોકરી મેળવવા માટે યુ.પી.એસ.સી. અને જી.પી.એસ.સી. ની પરીક્ષા સરળતાથી કઇ રીતે પાસ કરી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News