ભાણવડથી આશરે ચાર કિલોમીટર દૂર ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર પાસેના પુલ નજીકથી જી.જે. 25 એન 8036 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા વેરાડ ગામના ગોગનભાઈ જોધાભાઈ મોઢવાડિયા તેમજ તેમના પત્ની ગગુબેનને આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 વી. 3959 નંબરના એક છકડો રીક્ષાના ચાલકે અડફેટે લેતા આ દંપતીને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે વેજાભાઈ જોધાભાઈ મોઢવાડિયા (રહે. નગડીયા) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે છકડો રીક્ષાના સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech