એનિમલ ચેરીટેબલ તેમજ આઈ બેલી ગ્રુપ દ્વારા આયોજન
ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા દ્વારા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા આઈ બેલી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આગામી શુક્રવાર તારીખ 18 થી તા. 24 એપ્રિલ સુધી ખંભાળિયા - જામનગર હાઈવે પર શ્રી આઈ બેલી આવળ માતાજીના મંદિરના વિશાળ પટાંગણમાં ગૌ સેવાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાળિયા વિસ્તારની અંધ, અપંગ અને નિરાધાર ગાયોની સેવા તેમજ સર્વે પિતૃઓના મોક્ષાર્થે યોજવામાં આવેલી આ ભાગવત સપ્તાહમાં જાણીતા કથાકાર શ્રી જીવણભગત બિરાજીને કથામૃતનું રસપાન કરાવશે. આ સાથે પૂજા વિધિ અને યજ્ઞના આચાર્ય પદે શ્રી કૃણાલ અદા રહેશે.
ભાગવત સપ્તાહના આ આયોજનમાં શનિવારે પરીક્ષિત જન્મ, રવિવારે નૃસિંહ પ્રાગટ્ય, સોમવારે કૃષ્ણ જન્મ અને રામ જન્મ તેમજ બુધવારે રુક્ષ્મણી વિવાહ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
આ સપ્તાહ દરમિયાન મંગળવાર તા. 23 ના રોજ શહીદ પરિવાર, માજી સૈનિક ગૌસેવકોનું સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે દરરોજ સવારે 9:30 થી 12:30 તેમજ સાંજે 3:30 થી 6:30 સુધી કથા શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમોરબીના વેપારીને ડોલરમાં રોકાણ કરવાના બહાને રૂા.૧.૫૧ કરોડનું ફ્રોડ કરનાર ગેંગના ત્રણ ઝડપાય
June 10, 2025 11:04 AMજૂનાગઢમાં કડિયાવાડમાં મકાનમાંથી દેશી દારૂની મહેફીલ માણતા ૧૦ ઝડપાય
June 10, 2025 11:02 AMજૂનાગઢ: સાયબર ફ્રોડના ગુનામાં ઝડપાયેલ હિરલબા જાડેજા સહિત ત્રણ આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ
June 10, 2025 10:59 AMકાલાવડ રોડ ઉપર મલેશિયાથી રિટર્ન યુવાન સહિત ૯ને કોરોના, કુલ ૫૩ દર્દી સારવારમાં
June 10, 2025 10:56 AMજામનગર: લાલપુરમાં વધુ એક વખત દારૂબંધીના ધજાગરા ઉડ્યા
June 10, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech