યુદ્ધવિરામ બાદ પીએમ મોદીએ ત્રણેય સેનાના વડાઓ સાથે કરી બેઠક, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સીડીએસ પણ રહ્યા હાજર 

  • May 11, 2025 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ કરાર બાદ, સીડીએસ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના વડાઓ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે.


NSA અજિત ડોભાલ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. 


કોંગ્રેસે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી


કોંગ્રેસે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગનો પુનરોચ્ચાર કર્યો. જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પહેલગામ હુમલા, ઓપરેશન સિંદૂર અને પહેલા અમેરિકા અને પછી ભારત-પાકિસ્તાન સરકારો દ્વારા જાહેર કરાયેલા યુદ્ધવિરામ પર સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application