ગૌવંશ માટે આશીર્વાદરૂપ અબોલ તીર્થ હોસ્પિટલ

  • May 26, 2025 11:23 AM 

ખંભાળિયાની પશુ સેવા સંસ્થા અબોલ તીર્થના તબીબે ચાર કલાકમાં સાત ઓપરેશન કર્યા


ખંભાળિયા વિસ્તાર માટે છેલ્લા આશરે ત્રણ દાયકા કરતા વધુ સમયથી વિના મૂલ્યે પશુ સેવા તથા સારવાર માટે કાર્યરત સંસ્થા સ્વ. લાભુબેન રણછોડદાસ બરછા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અબોલ તિર્થ પશુ હોસ્પિટલના સિનિયર પશુ ચિકિત્સક ડો. એન.એચ. અંબાલિયાએ તાજેતરમાં સવારે 7 થી 11 વચ્ચે ચાર કલાકમાં સાત પશુઓના નાના-મોટા ઓપરેશન કર્યા હતા. સંજોગવશાત ઉપરાઉપરી અલગ-અલગ જગ્યાએથી પશુ પ્રેમીઓએ ધા નાખી તેને ધ્યાને લઇ તેમજ હોસ્પિટલમાં આવતા ગાય-બળદ બધાને જરૂરી ઓપરેશન પોતાની આગવી સૂઝ અને ચપળતાથી તેમણે ચાર કલાકમાં કરી, આ બધા પશુઓને સારવારથી રાહત અપાવી હતી.


ડો. એન.એચ. આંબલીયા તેમજ અબોલ તીર્થ પશુ હોસ્પિટલના સંચાલક એવા સ્વ. અરવિંદભાઈ રણછોડદાસ બરછા પરિવાર તેમની પશુ સેવા માટે ખંભાળિયા પંથકમાં સારી એવી નામના ધરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application