દાહોદ બાદ ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ સામે આવ્યો છે, જેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવશે. જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને આ તપાસ સોંપવામાં આવે તેવી સંભાવના છે. સમગ્ર કૌભાંડને લઈને વેરાવળની બે એજન્સી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 58 ગામોમાં 7 કરોડ 30 લાખ રૂપિયાના કૌભાંડની શક્યતા છે. જોકે, હવે આ બધાંની વચ્ચે ભરૂચના સાંસદે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કૌભાંડમાં ઉપથી નીચે બધાંની મિલિભગત હોય છે.
કૌભાંડને લઈને એકલો જિલ્લો જવાબદાર નથી
જોકે, હવે આ કૌભાંડને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 'કૌભાંડને લઈને એકલો જિલ્લો જવાબદાર નથી. આ યોજનાને સફળ બનાવવી હોય તો ગાંધીનગર એટલે કે, રાજ્ય સરકારના સ્તરથી જ આ માટે ચોક્કસ કાયદા અને નિયમો બનાવવા પડે. બધાં જ લોકોની આમાં મિલિભગત હોય છે, તેમાં રાજ્ય સ્તરના મંત્રી હોય, સેક્રેટરી હોય, વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી આ બધાં જ લોકો આમાં જવાબદારી હોય છે. જ્યારે તપાસ હાથ ધરવામાં આવે ત્યારે નીચેનો કર્મચારી ફસાઈ જાય છે. પરંતુ, બધાનું જ આમાં સેટિંગ હોય છે.'
7,30,00,000 કરોડોની નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી
ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જલારામ એન્ટરપ્રાઈઝ એજન્સી(પિયુષભાઇ નુકાણી) , મુરલીધર એન્ટરપ્રાઈઝ (જોધાભાઇ સભાડ) અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ અનુસાર, ભ્રષ્ટાચાર કરવા માટે 60- 40નો રેશિયો તોડીને મટીરિયલની ખરીદી કરવામાં આવી હતી. સરકારી એસઓપી અને ધારાધોરણ મુજબ કામ થયું અને કામ પૈસા ચૂકવી દેવાની વાત કરવામાં આવી હતી. જોકે, વધારે મટિરિયલ બતાવીને તેના ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા. મુરલી એન્ટરપ્રાઇઝને 13,05,676 તથા જલારામ એન્ટરપ્રાઇઝને 6,58,898 એમ કુલ 19,64, 574 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તેમજ ભરૂચ જિલ્લાના 56 ગામોમાં અંદાજે 7,30,00,000 કરોડોની નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવિસાવાડા ગામે તંત્રના સંકલનના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં
June 05, 2025 10:30 AMસીમા પર બાંગ્લાદેશી ગુંડાઓએ કપટથી બીએસએફના જવાનનું અપહરણ કર્યું
June 05, 2025 10:24 AMયુએસમાં 12 દેશોના નાગરિકોને પ્રવેશ પર પ્રતિબંધ
June 05, 2025 10:14 AMકેનેડાના નવા કાયદાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધશે
June 05, 2025 10:12 AMરશિયા યુકેનને ડ્રોન હુમલાનો પૂરી તાકાતથી જવાબ આપશે
June 05, 2025 10:11 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech