શહેરના કરચલીયાપરા વિસ્તારમાં મિત્ર સાથે થયેલી માથાકુટની દાઝે મોડી રાત્રે ચાર શખ્સોએ છરી અને ધારિયા વડે યુવાન પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડ્યાની ફરિયાદ ગંગાજળીયા પોલીસ મથકમાં નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. માથાકુટ અંગે શખ્સ સાથે સમાધાન કરી મામલાની પતાવટ કરી હોવા છતાં હુમલો કરાયો હોવાનું ઈજાગ્રસ્ત યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું.
શહેરના કરચલીયાપરા વિસ્તારના હનુમાનનગરમાં રહેતા અને પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રોહિતભાઈ ઉર્ફે જસો જયસુખભાઈ ગોહેલ(ઉ. વ. ૨૩)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે પોતાના મિત્ર મનોજ ઉર્ફે મનો રાઠોડને રોહિત ઉર્ફે કાળીયો સાથે માથાકુટ થઈ હતી. જે અને તેની સાથે સમાધાન અને પતાવટ થઈ ગઈ હોવા છતાં મોડી રાતે પોતે તેમજ મનોજ ઉર્ફે મનો રાઠોડ સહિતના મિત્રો બાઈક પર ઘર તરફ જતાં હતા ત્યારે સુનિલ ઉર્ફે સુનો, મોહિત ઉર્ફે કાળીયો, રોહિત ઉર્ફે જાડિયો અને રમેશ ઉર્ફે ભાણોએ હાથમાં છરી તેમજ ધારિયું સાથે બાઈક પર આવી ગાળો આપી છરી તેમજ ધારિયા વડે હુમલો કરતા મિત્ર મનોજ ઉર્ફે મનો રાઠોડ ભાગી ગયો હતો. જયારે તમામ શખ્સો પોતાને મુંઢ માર મારી છરી અને ધારિયા વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા.
આ અંગે ગંગા જળીયા પોલીસે રોહિત ઉર્ફે જસો જયસુખભાઈ ગોહેલની ફરિયાદ લઈ તમામ સામે જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMરાજકોટ મનપામાં ભરતીનો મેસેજ વાયરલ, તંત્ર ધંધે લાગ્યું, છેતરપીંડીનો ભોગ ન બનવા અપીલ
April 21, 2025 05:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech