ઓડિશામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પદ્મ પુરસ્કારને લઈને બે લોકો વચ્ચે વિવાદ શરૂ થયો છે. બંનેનો દાવો છે કે તેમને 2023 માટે પદ્મ પુરસ્કાર મળ્યો છે. મામલો વધીને કોર્ટ સુધી પહોંચ્યો છે. હવે 24 ફેબ્રુઆરીએ, બંને પક્ષોએ ઓડિશા હાઈકોર્ટ પહોંચીને પોતપોતાના પક્ષ રજૂ કરવાના છે.
હકીકતમાં, 2023 માટે પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓની યાદીમાં ઓડિશાના અંતર્યામી મિશ્રાનું નામ 56મા સ્થાને નોંધાયેલું છે. સાહિત્ય અને શિક્ષણમાં તેમના યોગદાન બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. વ્યવસાયે પત્રકાર અંતર્યામી મિશ્રા નવી દિલ્હી ગયા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી આ એવોર્ડ સ્વીકાર્યો.
જોકે, બાદમાં વ્યવસાયે ડોક્ટર ડો. અંતર્યામીમિશ્રાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમના નામવાળી વ્યક્તિએ તેમના નામનો ઉપયોગ કરીને એવોર્ડ જીત્યો છે.
રિટ પિટિશન દાખલ કરીને, ડો. મિશ્રાએ દાવો કર્યો છે કે તેમણે ઓડિયા અને અન્ય ભારતીય ભાષાઓમાં 29 પુસ્તકો લખ્યા છે, જેના કારણે તેમનું નામ 2023 માટે પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. અરજદારના મતે, પત્રકાર પાસે તેમના નામે કોઈ પુસ્તક નથી.
આ મામલાની સુનાવણી દરમિયાન, જસ્ટિસ એસ કે પાણિગ્રહીએ કહ્યું કે સરકારની કડક ચકાસણી પ્રક્રિયા હોવા છતાં, સમાન નામોને કારણે મૂંઝવણ ઊભી થઈ છે, જેના કારણે પસંદગી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર ચિંતા વધી છે.
કોર્ટે બંને દાવેદારોને તેમના દાવાઓને સમર્થન આપવા માટે તમામ પ્રકાશનો અને સામગ્રી સાથે રૂબરૂ હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસમાં સરકાર સહિત પ્રતિવાદીઓને પણ નોટિસ જારી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના આંગણે પ્રથમ વખત યોજાયેલ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો ખુલ્લો મુકાયો
February 13, 2025 01:57 PMરાત્રે સુવાનો એક ટાઇમ ફિક્સ કરો, નહી તો થઇ શકે આ 6 સમસ્યા
February 13, 2025 01:51 PMજામનગરમાં ABVPના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન, સ્કોલરશીપ અને ગ્રાન્ટેડ લો કોલેજ ફાળવવાની માંગ
February 13, 2025 01:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech