જામનગરમાં પૈસાની ઉઘરાણીમાં યુવાનને માર માર્યો

  • August 24, 2023 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ઢીંચડા રોડ પર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે એક યુવાનને હાથ ઉછીની આપેલી રકમની ઉઘરાણીના મામલે માર માર્યાની અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની બે શખસ સામે ફરિયાદ કરવામાં આવતાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


જામનગરના તિરૂપતિ પાર્ક-ર, શેરી નં.૭માં રહેતાં નિરવ અનિલભાઈ ચાવડા (ઉ.વ.૩૦) નામના યુવાનને આરોપી રામદેવસિંહે ત્રણ મહિના પહેલાં હાથ ઉછીના ૩૦ હજાર રૂપિયા આપ્યા હતાં, જે રૂપિયાની તેમણે માંગણી કરતાં નિરવે હાલ પૈસાની સગવડ ન હોય જેથી પૈસા આપવાની ના પાડી હતી, જેના કારણે આરોપીએ ઉશ્કેરાઈને અપશબ્દો બોલી યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો.
​​​​​​​
અન્ય આરોપીએ પાઈપ વડે હુમલો કરી નિરવને શરીર અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી એક-બીજાને મદદગારી કરી હતી. આ અંગે નિરવ ચાવડા દ્વારા બેડી મરીન પોલીસમાં તિરૂપતિ સોસાયટીના રામદેવસિંહ સોઢા અને એક અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવતાં ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application