યોગી સરકારનો મોટો નિર્ણય : હવે નિર્વિવાદ પેઢીઓની સંપત્તિની કરી શકશો વહેંચણી

  • August 06, 2024 04:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માત્ર રૂ. 5,000ની સ્ટેમ્પ ડ્યુટી વડે પોતાની સ્થાવર મિલકતને લોહીના સંબંધીઓના નામે કરવાની મોટી સગવડ આપ્યા બાદ હવે ઉત્તર પ્રદેશમાં કુટુંબ વિભાજન અને વહીવટમાં મોટી સગવડ મળવા જઈ રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યો છે કે, પરિવારના સભ્યો વચ્ચે સ્થાવર મિલકતના વિભાજન અને જીવંત વ્યક્તિ દ્વારા તેના સંબંધીઓને મિલકત ટ્રાન્સફર કરવા પર ચૂકવવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટી પણ 5,000 રૂપિયા નક્કી કરવામાં આવે.


મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, વધુ ખર્ચના કારણે પરિવારમાં વિભાજનના મામલામાં અવારનવાર વિવાદો સર્જાય છે અને કોર્ટના કેસ પણ ઉભા થાય છે. ન્યૂનતમ સ્ટેમ્પ ડ્યુટીને કારણે પરિવારો વચ્ચે સમાધાન સરળ બનશે.


મંગળવારે એક મહત્વની બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સામાન્ય માનવીના જીવન સરળતા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. પ્રોપર્ટી ડિવિઝન અને સેટલમેન્ટ પ્રક્રિયામાં સરળીકરણથી લોકોને વધુ સુવિધા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application