જામનગરમાં પત્નીને લાકડી વડે માર મારી દિવાલમાં ભટકાડતા ફ્રેકચર

  • January 23, 2024 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરની દવાબજાર કોલોની વિસ્તારમાં પરિણીતાને માર મારી દુ:ખ ત્રાસ આપ્યાની પતિ સામે ફરીયાદ કરવામાં આવી છે. 
જામનગરના અંધાશ્રમ દવાબજાર કોલોનીમાં રહેતી સુરેખા ઉર્ફે સોનલબેન પ્રદિપભાઇ ધવને (ઉ.વ.૨૪) નામની પરિણીતાને લગ્નજીવન દરમ્યાન પતિ અવાર નવાર નાની નાની બાબતોમાં બોલાચાલી કરી શારીરીક માનસીક ત્રાસ આપતો હોય દરમ્યાન ફરીયાદી પાડોશમાં સગાઇ પ્રસંગમાં ગયા હોય જે આરોપી પતિને નહીં ગમતા અપશબ્દો બોલી ઉશ્કેરાઇ જઇ લાકડી વડે માર માર્યો હતો તેમજ દિવાલમાં ભટકાડી ફેકચર કરી મુંઢ ઇજા પહોચાડી હતી.
સુરેખાબેન દ્વારા આ બનાવ અંગે ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં આરોપી પતિ પ્રદિપ વસંત ધવનેની વિરુઘ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application