તાજેતરમાં જ પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુ રાજકારણમાં જોડાયા હતા. અંબાતી રાયડુ આંધ્ર પ્રદેશની યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ માત્ર 8 દિવસ બાદ તેણે પોતાના નિર્ણયથી સૌ કોઇને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જીહા,વાસ્તવમાં અંબાતી રાયડુએ રાજકારણમાંથી બ્રેક લેવાની વાત કરી હતી. આ માટે ખૂદ ક્રિકેટર અંબાતી રાયડુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે આંધ્ર પ્રદેશની યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી છોડવાના નિર્ણય સાથે થોડા સમય માટે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
હવે સવાલ એ ઉદભવે છે કે સૌ પ્રથમ ખૂદ અંબાતી રાયડુ રાજકારણમાં પ્રવેશ્યા અને માત્ર આઠ દિવસના સમયમાં તેમણે રાજકારણ છોડવાનો નિર્ણય પણ કરી લીધો. ત્યારે આખરે એવું તે શું થયું કે આઠ દિવસમાં રાજકારણમાંથી અંબાતી રાયડુએ બ્રેક લઇ લીધો. તો આપને જણાવી દઇએ કે અંબાતી રાયડુ ક્રિકેટના મેદાન પર જોવા મળશે. ક્રિકેટ જ કારણ હોવાને લીધે તેમણે ગણતરીના દિવસોમાં રાજકારણને અલવિદા કહી દીધું.
આપને જણાવી દઇએ કે,અંબાતી રાયડુ યુએઇ લીગ આઇએલટી20માં રમશે. અંબાતી રાયડુ આ લીગમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરશે. આથી, અંબાતી રાયડુએ એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં અંબાતી રાયડુએ લખ્યું છે કે તે દુબઈમાં 20 જાન્યુઆરીથી આગામી આઇએલટી20માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. આ માટે તેઓ વ્યવસાયિક રમતો રમતી વખતે રાજકીય રીતે બિન-સંબંધિત હોવું જરૂરી માને છે. વાસ્તવમાં, અંબાતી રાયડુના નિર્ણયે બધાને આશ્ચર્યચકિત કરી દીધા, કારણ કે તે માત્ર 8 દિવસ પહેલા જ રાજકારણમાં જોડાયો હતો.
તમને જણાવી દઈએ કે ILT20 19 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી એમઆઈ એમિરેટ્સ તેની પ્રથમ મેચ 20 જાન્યુઆરીએ દુબઈ કેપિટલ્સ સામે રમશે. આ ટૂર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે, જ્યારે સિઝનમાં કુલ 34 મેચો રમાશે. ILT20ની ફાઈનલ 17 ફેબ્રુઆરીએ રમાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech