રાહુલ ગાંધી માત્ર સફેદ ટી-શર્ટ કેમ પહેરે છે?

  • May 06, 2024 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી તેમની સાદગી અને કપડાં (ખાસ કરીને ટી-શર્ટ)ને કારણે ચર્ચામાં છે. રાહુલ ગાંધીએ પોતાના કપડાને લઈને મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે તે શા માટે માત્ર સફેદ ટી-શર્ટ પહેરે છે.
​​​​​​​

કર્ણાટકમાં ચૂંટણી પ્રચારની મુલાકાત લેવા માટે હેલિકોપ્ટર પર બેસીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાહુલ ગાંધીને આ સવાલ પૂછ્યો હતો કે તેઓ હંમેશા સફેદ ટી-શર્ટ કેમ ફેરે છે ત્યારે  53 વર્ષીય રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું કે  ‘પારદર્શિતા અને સાદગી... અને હું ખરેખર કપડાં વિશે વધુ ધ્યાન આપતો નથી. મને સાદગી ગમે છે.’ આ સવાલ અને જવાબ ત્રણેય નેતાઓ વચ્ચે રેપિડ ફાયર વીડિયો ચેટનો ભાગ હતો.


મલ્લિકાર્જુન ખડગેને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો

આ રેપિડ ફાયર દરમિયાન રાહુલ ગાંધીએ સવાલ-જવાબ પણ કર્યા હતા. રાહુલે મલ્લિકાર્જુન ખડગેને પૂછ્યું કે પ્રચાર દરમિયાન તેમને શું સારું લાગ્યું અને શું ખરાબ. આના પર ખડગેએ કહ્યું, "કંઈ ખરાબ નથી. તે સારું છે કારણ કે આપણે આ બધું દેશ માટે કરી રહ્યા છીએ. જે લોકો દેશને બગાડવાનું કામ કરી રહ્યા છે આપણે તેમને અટકાવવાનું કામ કરી રહ્યા છીએ ત્યારે મને સારું લાગે છે. આપણે દેશ માટે કંઈક સારું તો કરી રહ્યા છીએ."


સિદ્ધારમૈયા અને ખડગેએ સતા વિષે કરી વાત

રાહુલ ગાંધીએ પછી કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાને પ્રશ્ન પૂછ્યો કે અને પૂછે છે કે તેઓ શું પસંદ કરશે સત્તા કે વિચારધારા. તેના જવાબમાં સિદ્ધારમૈયાએ જવાબ આપ્યો, "વિચારધારા એટલા માટે કે વિચારધારા હંમેશા મહત્વની હોય છે. તમારે પાર્ટીની વિચારધારા અને પાર્ટીના કાર્યક્રમોને લોકો સમક્ષ મૂકવાના હોય છે અને જો તમે સત્તામાં હોવ તો તમારે લોકોને તમારી સિદ્ધિઓ વિશે જણાવવું પડશે. અમારે કહેવું પડશે. તો જ લોકો ચોક્કસપણે અમારા સ્ટેન્ડની પ્રશંસા કરશે અને અમને આશીર્વાદ આપશે.

એ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે સિદ્ધારમૈયાને કહે છે કે  "સત્તા આવે છે અને જાય છે, પરંતુ વિચારધારા પર સાચા રહેવું એ મોટી વાત છે. નેતાઓએ આ માટે બલિદાન આપ્યા છે."

રાહુલ ગાંધીને ગમે છે ભાષણ આપવું

સિદ્ધારમૈયા અને મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીને પૂછ્યું કે ચૂંટણી પ્રચારમાં સૌથી સારી બાબત શું છે. તેના પર રાહુલ કહે છે કે મારા માટે લગભગ 70 દિવસથી આ અભિયાન ચાલી રહ્યું છે. ભારત જોડો યાત્રા એક અભિયાન નહોતું પરંતુ નોન-સ્ટોપ કામ કરવાની દ્રષ્ટિએ તે વધુ મુશ્કેલ હતું. તેથી જ હું લાંબા સમયથી ચાલી રહ્યો છું. મને ભાષણો બહુ ગમે છે. તે દેશને શું જોઈએ છે તે વિશે વિચારવા માટે મજબૂર કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application