સોની બજારમાં મંદિરમાંથી છત્તરની ચોરી કરનાર સંત કબીર રોડ પરથી ઝડપાયો

  • April 18, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના સોની બજારમાંથી ૧ કિલો ૮૦૦ ગ્રામના ચાંદીના છત્તરની ચોરી કરનાર શખસને થોરાળા પોલીસે સતં કબીર રોડ પાસેથી ઝડપી લીધો હતો. આરોપી ચોરીનો આ માલ વેચવા નીકળ્યો હતો દરમિયાન પોલીસની ઝપટે ચડી જતા પોલીસે તેની પાસેથી .૮૧,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે લઇ જરી કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.જી.વાઘેલાની રાહબરી હેઠળ પી.એસ.આઇ જે.એમ.પરમાર તથા એમ.એસ.મહેશ્વરી તેમજ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ખાંભરા, વિમલભાઈ ધાણજા અને કોન્સ્ટેબલ સંજયભાઈ અલગોતરને મળેલી બાતમીના આધારે સતં કબીર રોડ પર ગોકુલ પાનવાળી શેરીમાંથી એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો.
પોલીસે તેની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ મહેન્દ્ર રમેશભાઈ સનુરા (ઉ.વ ૨૪ રહે. છોટા લાલ વાઘજીના ડેલામાં, કેસરી પુલ પાસે) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસ પાસે રહેલી થેલીની તલાસી લેતા તેમાંથી ચાંદી જેવી દેખાતી સફેદ ધાતુના અલગ–અલગ નાના મોટા છત્તર જોવા મળ્યા હતા જેથી પોલીસે આ શખસની અટકાયત કરી હતી.


ચાંદીના આ છત્તર બાબતે પૂછતા પ્રથમ ગલ્લાતલ્લા કર્યા બાદ આરોપીએ કબુલાત આપી હતી કે, ચાર દિવસ પૂર્વે સોની બજારમાં રાણીમાં ડીમાં મંદિરમાંથી તેણે ૧ કિલો ૮૦૦ ગ્રામના ચાંદીના છત્તરની ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી .૮૧,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.


પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મજુરી કામ કરે છે અગાઉ તે આ મંદિરમાં સફાઈનું કામ કરતો હતો. જેથી તે અહીંની સ્થિતિથી વાકેફ હોય તેને તક મળતા આ છત્તરની ચોરી કરી લીધી હતી. ચોરી કર્યા બાદ ચોરીનો આ માલ તે અહીં સતં કબીર રોડ પર વેચવા આવ્યો હતો દરમિયાન પોલીસે તેને પકડી પડો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application