વેરાવળ-સુરત વચ્ચે ૧૨મી ડિસે.થી સાપ્તાહિક ટ્રેન

  • December 06, 2023 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડતી અને યાત્રીકોની સુવિધા વધારવા હેતુસર રેલ્વે તંત્રે વેરાવળથી સુરત વચ્ચે સાપ્તાહિક ટ્રેન દોડાવવાનું આયોજન કર્યુ છે. જે અંગે માહિતી આપતા ડીસીએમ માશૂક અહમદએ જણાવેલ કે, આ સાપ્તાહિક ટ્રેન ૧૨ ડિસે.થી ૩૦ જાન્યુ.૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાન ચલાવવાનો નિર્ણય થયો છે. જે મુજબ આ સાપ્તાહિક વિશેષ ટ્રેન નં.૦૯૦૧૮ વેરાવળથી દર મંગળવારે સવારે ૧૧.૦૫ કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે ૨૩.૪૫ કલાકે સુરત પહોંચશે. આવી જ રીતે ટ્રેન નં.૦૯૦૧૭ સુરત-વેરાવળ સાપ્તાહિક વિશેષ ટ્રેન દર સોમવારે સુરતથી સાંજે ૧૯.૩૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૮.૦૫ કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સ્ટેશન પર બંન્ને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનનું બુકિંગ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને  વેબસાઇટ પર શરૂ થઈ ગયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application