Video : ઉજ્જૈન મહાકાલ મંદિરના ત્રણ આંખો અને ત્રણ શિંગડાવાળા નંદીના વાઈરલ વિડીયો પાછળ સામે આવ્યું ચોકાવનારું સત્ય

  • July 29, 2023 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હિંદુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ મહિનામાં દેશના વિવિધ ભાગોમાં આવેલા શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ત્રણ આંખો અને ત્રણ શિંગડાવાળા નંદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ઉજ્જૈનના મહાકાલ મંદિરનો વીડિયો છે.


ખરેખર આ વિડીયો 28 ડિસેમ્બર, 2019 ના રોજ ફેસબુક યુઝર શિવમ મિશ્રા દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના જટાશંકર ધામનો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો તાજેતરનો નથી પરંતુ જૂનો છે અને તે પહેલાથી જ ઈન્ટરનેટ પર હાજર છે.


જટાશંકર ધામ ટ્રસ્ટના ડિરેક્ટર અને ચેરમેન અરવિંદ અગ્રવાલે કહ્યું કે “આ વિડિયો માત્ર જટાશંકર ધામનો છે. વીડિયોમાં દેખાતા ત્રણ શિંગડાવાળા અને ત્રણ આંખવાળા નંદી મહારાજનું ગયા વર્ષે નિધન થયું હતું. તપાસ પર, અમને આનાથી સંબંધિત ઘણા મીડિયા અહેવાલો પણ મળ્યા, જેમાં કહેવામાં આવ્યું છે કે તેનું મૃત્યુ નવેમ્બર 2022 માં બીમારીના કારણે થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application