મહારાષ્ટ્રના પુણેના નારાયણગાંવ વિસ્તારમાંથી એક ભયાનક અકસ્માતના સમાચાર આવ્યા છે. આ માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ટ્રકે પાછળથી આવતી કારને ટક્કર મારી. ટ્રકે જોરદાર ટક્કર માર્યા પછી કાર એક પાર્ક કરેલી બસ સાથે અથડાઈ હતી.
આ માર્ગ અકસ્માત પુણે નાસિક હાઇવે પર થયો હતો. આજે સવારે લગભગ 10 વાગ્યે નારાયણગાંવ નજીક આ અકસ્માત થયો હતો. હકિકતમાં, એક આઇશર ટેમ્પોએ પાછળથી મુસાફરોને લઈ જઈ રહેલા મેક્સ ઓટો વાહનને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મેક્સ ઓટો બોલની જેમ ઉછળીને બસ સાથે અથડાઈ ગઈ.
અકસ્માતમાં 3 ઘાયલ
પુણેમાં થયેલા આ દુ:ખદ અકસ્માતમાં ચાર મહિલાઓ, ચાર પુરુષો અને એક બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય ત્રણ ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પુણે પ્રશાસને કહ્યું છે કે, ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર છે. આ કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
ડ્રાઈવરની બેદરકારી સામે આવી
માહિતી મળતાં ધારાસભ્ય શરદ સોનાવણે પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને અકસ્માતનો તાગ મેળવ્યો હતો. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત નારાયણગાંવમાં થયો હતો. આ ખૂબ જ ગંભીર અકસ્માત છે. સોનાવણેએ પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને જણાવ્યું હતું કે, આઇશર કાર એક પેસેન્જર વાહનને ટક્કર મારીને ભાગી ગઈ હતી. પોલીસે આઇશર જપ્ત કરી લીધી છે. અકસ્માત આઇશર ડ્રાઇવરના કારણે થયો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. તપાસ પછી જ આપણે જાણી શકીશું કે ખરેખર શું થયું? તેમણે વધુમાં કહ્યું કે, ગંભીર રીતે ઘાયલ લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech