ભાવનગરના જાણીતા તબીબના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

  • May 17, 2023 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

લોકલ ક્રાઇમ બ્રાન્ચ ડોગ સ્વોર્ડ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો


ભાવનગર શહેરના કાળાનાળા નાંનભા વાડી ખાતે રહેતા અને જાણીતા તબીબ પોતાનાનું ધર બંધ કરી પરિવાર સાથે ઉના ગયા હતા તે દરમિયાન નિશાચરો બંધમકાના તાળા તોડી ધરમાં પ્રવેશ્યા હતા અને ધરમાં રખાયેલી સોના ચાંદીના ઘરેણાં રોકડા રૂપિયાની ચોરી કરી નાસી છૂટયા હતા દરમિયાનમાં ચોકીદાર સાંજ ઢલતા લાઈટ કરવા ગયા ત્યારે તાળા તૂટેલા જોઈ તુરંત ભાવનગરમાં રહેતા ડોક્ટર નાં પુત્રીને જાણ કરી હતી પુત્રી દ્વારા પોલીસને જાણ કરતાની સાથે જ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ડોગ સ્વોર્ડ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ તસ્કરો ને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.ધરમાં થી કેટલા રૂપિયા ઘરેણા ની ચોરી થઈ છે એ ડોક્ટર આવ્યા બાદ તપાસી ફરિયાદ નોધાવશે .


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના કાળાનાળા નાંનભા વાડી ખાતે રહેતા અને જાણીતા તબીબ જયેશભાઈ પંડ્યા પોતાનું ધર બંધ કરી પરિવાર સાથે ઉનગયા હતા દરમિયાનમાં તસ્કરોએ બંધ મકાન ને નિશાન બનાવી દરવાજાના તાલા તોડી ધરમાં પ્રવેશી માલ મતા ઉપાડી નાસી ચૂંટ્યા હતા દરમિયાનમાં ચોકીદાર તરીકેની ફરજ બજાવતા ઘનશ્યામભાઈ સાંજ ઢળતાં લાઈટ કરવા માટે ગયા ત્યારે ધારણા દરવાજાના તાળા તૂટેલા જોઈ તુરતજ ડો જયેશભાઈ પંડ્યાના પુત્રી ભાવનગરમાં રહેછે તેમને જાણ કરી હતી 

ડો જયેશભાઈ પંડ્યાના પુત્રી તુરતજ ડો જયેશભાઈ પંડ્યાના ઘરે દોડી આવ્યા હતા


ચોરી થઈ હોવાની જાણ થતાં પોલીસને જાન કરી હતી પોલીસને જાણ થતાની સાથે જ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ડોગ સ્વોર્ડ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ જીણવટ ભરી તપાસ હાથ ધરી હતી પરંતુ ધરમાં થી ચોરી કેટલા રૂપિયાની ચોરી થાયછે એ

ડો જયેશભાઈ પંડ્યા બહાર ગામ થી આવીને પોલીસ ફરિયાદ નોંધાવશે ત્યારે ખ્યાલ આવી શકે તેમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application