કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણમાં ત્રણ જવાન શહીદ

  • August 05, 2023 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કુલગામમાં સર્ચ દરમિયાન થયો ગોળીબાર: દક્ષિણ કશ્મીરમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત


જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા આ ત્રણેય જવાનો આતંકીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયા હતા, જેમને સારવાર માં દમ તોડી દીધો હતો. ઘટનાના પગલે દક્ષિણ કશ્મીરમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે.



જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા આ ત્રણેય જવાનો આતંકીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયા હતા. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ ત્રણેયના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.


અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી છે અને સર્ચ ઓપરેશનને વધુ ઝડપી બનાવી દેવામાં આવ્યું છે.પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોને દક્ષિણ કશ્મીરના કુલગામ જિલ્લાના હલન ફોરેસ્ટ વિસ્તારમાં આતંકીઓ હોવાની સૂચના મળી હતી. સૂચના મળતા જ તેમણે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતુ. સર્ચ ઓપરેશન દરમિયાન આ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરુ કર્યો હતો. સુરક્ષા દળોએ આ ફાયરિંગ પર જવાબી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application