ભારતના આ સ્ટાર પ્લેયરે ઇન્ટરનેશનલ ફૂટબોલને કહ્યું અલવિદા, કુવૈત સામે રમી છેલ્લી મેચ

  • June 06, 2024 11:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ ઇન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા કહી દીધું છે. ભારતીય ફૂટબોલ ટીમ આજે એટલે કે 6 જૂને કુવૈત સામે ટકરાઇ હતી. આ મેચ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સુનીલ છેત્રીની છેલ્લી મેચ હતી. સુનીલ છેત્રીએ આ મેચ પહેલા જાહેરાત કરી હતી કે આ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં ભારત અને કુવૈતની ટીમો સામસામે હતી.


સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલનો મહત્વનો હિસ્સો છે. તેણે દેશ માટે 151 મેચમાં 94 ગોલ કર્યા છે. તે હાલમાં આંતરરાષ્ટ્રીય લેવલે ગોલ કરનારની યાદીમાં ચોથા સ્થાને છે. સુનીલ છેત્રીએ 12 જૂન 2005ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી. તેણે આ મેચમાં જ પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ પણ નોંધાવ્યો હતો. છેત્રીએ તેની શાનદાર કારકિર્દીમાં છ વખત AIFF પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો. આ સિવાય તેમને 2011માં અર્જુન એવોર્ડ અને 2019માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.


ભારતીય ફૂટબોલ ટીમ પાસે આ મેચ જીતવાની અને FIFA વર્લ્ડ કપ 2026માં સીધો પ્રવેશ મેળવવા માટે એશિયન ક્વોલિફાયર્સના ત્રીજા રાઉન્ડ માટે ક્વોલિફાય થવાની મજબૂત તક હતી. પરંતુ તે આ મેચ જીતવામાં નિષ્ફળ રહી હતી. હવે ટીમ ઈન્ડિયા 11 જૂને દોહામાં કતાર સામે ટકરાશે. ભારતીય ફૂટબોલ ટીમ માટે આ મેચ કરો યા મરો હશે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે AFC એશિયન કપ સાઉદી અરેબિયા 2027માં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application