અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં લોખંડના બદલે તમામ જગ્યાએ કરાયો છે આ સામાન્ય ધાતુનો ઉપયોગ

  • September 28, 2023 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ત્રણ માળના રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. મંદિરનું નિર્માણ બે ભાગમાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં મંદિરનો ભોંયતળિયું તૈયાર થશે જે લગભગ ૨.૬ એકર જમીનમાં ફેલાયેલું છે. મંદિરના ગર્ભગૃહથી શરૂ કરીને ગ્રાઉન્ડ ફ્લોર પર પાંચ મંડપ હશે, જ્યાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ૧૬૦ પિલર હશે. દરેક થાંભલા પર વિવિધ પ્રકારની કોતરણી હશે.



મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો ન નથી. વાસ્તુશાસ્ત્ર અને બાંધકામ સામગ્રી વિશે વાત કરતા મિશ્રાએ કહ્યું કે લોખંડના બદલે, પત્થરોને જોડવા માટે તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે રામ મંદિર અઢી એકરમાં બનેલું છે. પરંતુ જો તેમાં 'પરિક્રમા પથ' પણ ઉમેરવામાં આવે તો આખું સંકુલ આઠ એકરમાં બને છે. તેમના જણાવ્યા અનુસાર મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં લગભગ ૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અને એવો અંદાજ છે કે સમગ્ર મંદિર સંકુલના નિર્માણ પાછળ ૧૭૦૦ થી ૧૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમણે કહ્યું કે કેટલીક કલાકૃતિઓ એએસઆઈને ખોદકામ દરમિયાન અને કેટલીક બાંધકામના કામ દરમિયાન મળી આવી હતી. આમાંથી કેટલાકને ટ્રસ્ટની દેખરેખ હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. એએસઆઈની પરવાનગી મળ્યા બાદ તેમને મંદિર પરિસરમાં બની રહેલા મ્યુઝિયમમાં રાખવામાં આવશે.




મંદિરના ગર્ભગૃહમાં એક પ્લેટફોર્મ બનાવવામાં આવશે. આ મંચ પર રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. રામલલાની આ મૂર્તિ ૫૧ ઈંચ ઊંચી હશે. એક મૂર્તિમાં શ્રી રામ પાંચ વર્ષના બાળકના રૂપમાં જોવા મળશે. બીજી મૂર્તિમાં રામલલા તેમના યુવાવસ્થાના  સ્વરૂપમાં જોવા મળશે. મંદિર ત્રણ માળનું હશે અને તેની ઊંચાઈ ૧૬૨ ફૂટ હશે. સૂત્રો મુજબ ગર્ભગૃહમાં ભગવાનનું આસન સોનાથી બનેલું હશે. ભક્તો તરફથી દરબારના દરવાજા પર સોનાના પાન મૂકવાની પણ વિનંતી કરાઈ છે.


મંદિરના નિર્માણ માટે રાજસ્થાનથી કોતરેલા પથ્થરો લાવવામાં આવ્યા છે. આઠ એકરની પરિમિતિમાં મંદિરની આસપાસ ૪૮ ફૂટ ઊંચો કિલ્લો પણ બનાવવામાં આવી રહ્યો છે. રામ મંદિર ઉપરાંત મંદિર પરિસરમાં વધુ છ મંદિરો બનાવવામાં આવી રહ્યા છે. સિંહ દ્વારથી રામ મંદિરમાં પ્રવેશતા પહેલા પૂર્વ તરફનો મુખ્ય દરવાજો હશે, જ્યાંથી ભક્તો સંકુલમાં આવશે. મુખ્ય દ્વારની બાજુમાં એક એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એક ટનલ પણ બનાવવામાં આવી રહી છે જ્યાંથી શ્રદ્ધાળુઓ આવી-જઈ શકશે. સંકુલનો મુખ્ય દરવાજો અભિષેક પહેલા બનાવવામાં આવશે. રામ મંદિરનો ૨૨ જાન્યુઆરીએ અભિષેક સમારોહ યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં તમામ પૂજા પદ્ધતિઓ અને ગુરુ પરંપરાઓ સાથે જોડાયેલા લગભગ ૪ હજાર સંતોને આમંત્રિત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application