આસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા

  • July 07, 2024 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આસામમાં ભારે પૂરના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. વધતી નદીઓના કારણે લોકોને ઘર છોડવાની ફરજ પડી રહી છે. રાજ્યમાં સ્થિતિ એવી છે કે પૂરને કારણે 58 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 30 જિલ્લાઓમાં 24 લાખ લોકો પ્રભાવિત થયા છે.


વહેતી નદીઓના કારણે આસામમાં સેંકડો લોકોને ઘર છોડવાની ફરજ પડી રહી છે. રાજ્યમાં સ્થિતિ એવી છે કે પૂરને કારણે 58 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 30 જિલ્લાઓમાં 24 લાખ લોકો પ્રભાવિત થયા છે. આ દરમિયાન આસામમાં પૂરની સ્થિતિ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનું નિવેદન સામે આવ્યું છે.


કાઝીરંગામાં પ્રાણીઓ પણ મૃત્યુ પામ્યા
તમને જણાવી દઈએ કે પૂરના કારણે કાઝીરંગામાં મોટી સંખ્યામાં પ્રાણીઓના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) એ શનિવારે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં આસામમાં ભયાનક પૂરની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં 58 લોકોના જીવ લીધા છે. ASDMA અનુસાર શનિવારે વધુ છ લોકોએ જીવ ગુમાવ્યા છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક 52 થી વધીને 58 થઈ ગયો.


આ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત

ધુબરી
કછાર
દરંગ
નાગાંવ
ગોલપરા
બારપેટા
ડિબ્રુગઢ
બોંગાઈગાંવ
લખીમપુર
જોરહાટ
કોકરાઝાર
કરીમગંજ
તિનસુકિયા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application