જો તમે પણ રોડ ટ્રીપ પર જતા હોય, તો તમારે નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર ટોલ ચૂકવવો જ પડશે. ટોલ ચૂકવવા માટે તમારે ફાસ્ટેગનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે, પહેલાથી જ ટોલ ટેક્સ માટે તેને ફરજિયાત બનાવવામાં આવી ચૂક્યું છે. પરંતુ હવે તેના નિયમોમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેની જાણકારી NPCI દ્વારા પહેલાથી જ આપી દેવામાં આવી છે. નિયમોમાં આ પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે.
ત્રણ વર્ષ જૂના ફાસ્ટેગનું કેવાયસી જરૂરી
મળતી માહિતી અનુસાર, હવે દર ત્રણ વર્ષે ફાસ્ટેગ માટે ફરીથી KYC કરવું પડશે. આવા ફાસ્ટેગનું કેવાયસી 31 ઓક્ટોબર 2024 સુધીમાં કરાવવું જરૂરી છે. જો KYC કરવામાં ન આવે તો ફાસ્ટેગને બ્લેકલિસ્ટ પણ કરી શકાય છે.
પાંચ વર્ષ જૂનું ફાસ્ટેગ બદલવું પડશે
જો કોઈ વાહનમાં પાંચ વર્ષ કે તેથી વધુ જૂના ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં આવે છે, તો તે હવે અમાન્ય ગણાશે. તેના બદલે નવું ફાસ્ટેગ જારી કરવું પડશે.
જુલાઇમાં પણ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા
તાજેતરમાં NHAI દ્વારા કેટલાક વધુ નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ, જો કોઈ વાહનમાં વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ ન લાગે તો આવા વાહનો પાસેથી ડબલ ટોલ વસૂલવામાં આવશે. આવું કરવા પાછળનું મુખ્ય કારણ ટોલ બૂથ પર ટેક્સ ભરવામાં લાગતો સમય ઘટાડવાનો અને ફાસ્ટેગનો દુરુપયોગ અટકાવવાનું હતું.
એપ્રિલમાં વન વ્હીકલ વન ફાસ્ટેગનો નિયમ જાહેર કરવામાં આવ્યો હતો
ફાસ્ટેગને લઈને નવો નિયમ એપ્રિલ 2024માં જ જારી કરવામાં આવ્યો હતો. જે મુજબ એક વાહન માટે માત્ર એક જ ફાસ્ટેગ જાહેર કરવામાં આવશે. આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે, ઘણા વાહનો પર એકથી વધુ ફાસ્ટેગ જારી કરવામાં આવ્યા હતા. જેને નિયંત્રિત કરવાની જરૂર હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech