મંદિરની બહારથી ચપ્પલ ચોરાયા તો યુવકે નોંધાવી FIR !

  • July 10, 2023 07:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક ખૂબ જ વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક યુવકે ચપ્પલ ગુમાવતાં પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. એફઆઈઆર દાખલ કરનાર યુવકનું કહેવું છે કે તેણે ખૂબ જ ઈમાનદારીથી મહેનતની કમાણીથી તેના ચપ્પલ ખરીદ્યા હતા, તેથી તેણે કેસ દાખલ કર્યો છે જેથી તે તેના ચપ્પલ પરત મેળવી શકે.

મળતી માહિતી મુજબ, કાનપુરના ડબૌલીના રહેવાસી ક્રાંતિ શરણ નિગમ રવિવારે કાનપુરના ગ્વાલટોલી પોલીસ સ્ટેશન વિસ્તારના  શ્રી ભૈરવજીના મંદિરમાં દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પાછા ફર્યા ત્યારે તેમના ચપ્પલ ત્યાં નહોતા. જે બાદ તેને ખુલ્લા પગે ઘરે જવું પડ્યું હતું. 

ક્રાંતિ શરણે આ માટે એક ઓનલાઈન એફઆઈઆર નોંધાવી છે, જેમાં તેણે પોતાના સેન્ડલ ગાયબ થવાની વાત લખી છે. એફઆઈઆરમાં ક્રાંતિ શરણે લખ્યું છે કે સવારે 8:00 વાગ્યે મંદિર પહોંચતા, બ્લુ કલરના નંબર સાતના રબરના ચપ્પલ ફૂલની દુકાનની બહાર રાખ્યા હતા, જ્યારે તેઓ પાછા ફર્યા તો ચપ્પલ મળ્યા ન હતા. આ સિવાય ઓનલાઈન એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે કે તેણે આ ચપ્પલ પોતાની મહેનત અને ઈમાનદારીથી ખરીદ્યા છે. આથી પોલીસને વિનંતી છે કે ચપ્પલ ચોરોને શોધીને મારા ચપ્પલ શોધવાનો પ્રયાસ કરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application