લીપ વર્ષના કારણે ચાર વર્ષે એકવાર જન્મ દિવસ આવતો હોવાથી સગર્ભા મહિલાઓ ૨૯ ફેબ્રુઆરીએ બાળકને જન્મ આપવાનો કરી રહી હોવાનો અહેવાલ
ઘણી ગર્ભવતી મહિલાઓ ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામ મંદિરના અભિષેક દરમિયાન બાળકને જન્મ આપીને ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માંગતી હતી. આ કારણે, ઘણી સગર્ભા સ્ત્રીઓએ તેમના સિઝેરિયનની તારીખ પણ બદલી નાખી હતી. હવે એક મહિનામાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ગુજરાતમાં ઘણી સગર્ભા સ્ત્રીઓ હવે આજના દિવસે બાળકને જન્મ આપવા નથી માગતી, કેમ કે આજે ૨૯ ફેબ્રુઆરી એટલે કે 'લીપ ડે' છે, જે મુજબ જો આજે બાળકનો જન્મ થાય તો તેનો જન્મ દિવસ દર ચાર વર્ષે આવે.
વર્ષના ૧૨ મહિના ગ્રેગોરિયન કેલેન્ડર દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ૧૨ મહિનામાં બીજા નંબરે ફેબ્રુઆરી આવે છે. ફેબ્રુઆરીમાં ૨૮ દિવસ હોય છે, પરંતુ લીપ વર્ષ દરમિયાન દર ચાર વર્ષે તેમાં ૨૯ દિવસ હોય છે. જે વર્ષમાં શેષને ચાર વડે ભાગી શકાય તે વર્ષને લીપ વર્ષ કહેવાય છે. વર્ષમાં ૩૬૫ દિવસ હોય છે, પરંતુ લીપ વર્ષમાં વર્ષમાં ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે. આમ, ૨૯ ફેબ્રુઆરીએ જન્મેલા બાળકને તે જ તારીખે પોતાનો જન્મદિવસ ઉજવવા માટે ચાર વર્ષ સુધી રાહ જોવી પડે છે.
જેના કારણે ઘણા માતા-પિતા જેમની ડિલિવરીની તારીખ નજીક છે, તેઓ નથી ઈચ્છતા કે તેમના બાળકનો જન્મ ૨૯ ફેબ્રુઆરીએ થાય. આ અંગે ગાયનેકોલોજિસ્ટ ડોકટરોએ જણાવ્યું હતું કે, 'મોટાભાગની ગર્ભવતી મહિલાઓ જેમની ડિલિવરી ડેટ નજીક છે, તેઓ ૨૮ ફેબ્રુઆરી અથવા ૧ માર્ચે બાળકને જન્મ આપવાનું પસંદ કરે છે.' એક ગાયનેકોલોજિસ્ટે કહ્યું, 'મારી પાસે ૧૦ દર્દીઓ છે. જેઓ બાળકને જન્મ આપવા જઈ રહી છે. જેમાંથી માત્ર ૧ કપલે ૨૯ ફેબ્રુઆરીએ માતા-પિતા બનવાનું પસંદ કર્યું છે.
બીજી તરફ, ડૉ. ધવલ શાહે કહ્યું, 'અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન, ઘણી ગર્ભવતી મહિલાઓ ૨૨ જાન્યુઆરીએ તેમના બાળકને જન્મ આપવા માંગતી હતી. પરંતુ હવે લીપ વર્ષના કારણે વલણ ઊલટું છે. જે સગર્ભા સ્ત્રીઓની ડિલિવરીની તારીખ ખૂબ નજીક છે તેઓ ૨૯મી ફેબ્રુઆરી સિવાયની કોઈપણ તારીખે સિઝેરિયન ઓપરેશન કરવા માંગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech