ચીફ જસ્ટિસ ખન્નાએ 22 માર્ચે કેસની આગળ તપાસ માટે 3 જજોની તપાસ સમિતિની રચના કરી હતી. 4 મેના રોજ આ રિપોર્ટ મળ્યા બાદ CJIએ 2 દિવસમાં જવાબ આપવા કહ્યું હતું.
દિલ્હી હાઈકોર્ટ જજ કેશ કાંડમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ કેસની તપાસ કરનારી 3 સભ્યોની ઇન હાઉસ કમિટીનો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મોકલી દીધો છે. જે જજ જસ્ટિસ યશવંત વર્મા પર ગેરકાયદેસર કેશ રાખવાનો આરોપ છે, ચીફ જસ્ટિસે તેમનો જવાબ પણ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મોકલ્યો છે. ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટના તમામ જજો સાથે ચર્ચા કર્યા બાદ આ પગલું ભર્યું છે.
જાણકારોના મતે આ જસ્ટિસ વર્માને પદ પરથી હટાવવા માટે સંસદમાં મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાનું પહેલું પગલું જણાય છે. આ વાત પહેલાથી જ ચર્ચામાં આવી ચૂકી હતી કે તપાસ સમિતિએ જજને ઘરેથી મોટી માત્રામાં કેશ સળગાવવાની અને બાદમાં તેના અવશેષો ત્યાંથી હટાવી દેવાની પુષ્ટિ કરી છે.
જસ્ટિસ વર્માએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો
4 મેના રોજ આ રિપોર્ટ મળ્યા બાદ ચીફ જસ્ટિસે જસ્ટિસ યશવંત વર્માને 2 દિવસમાં જવાબ આપવા કહ્યું હતું. જસ્ટિસ વર્માને કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજીનામું આપવા પર વિચાર કરે. જે રીતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને ચીફ જસ્ટિસે કેસથી અવગત કરાવ્યા છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે જસ્ટિસ વર્માએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech