ધર્મના નામે ફેલાવાયેલા ઝેરની અસર ઓસરી ; પાકિસ્તાનમાં જીવન નર્ક જેવું બન્યું, હાલત ગુલામો કરતાં પણ થઇ ખરાબ : પીઓકે નાગરિક
ભારત અને પાકિસ્તાનને સાથે મળીને આઝાદી મળી, પરંતુ ભારત પ્રગતિમાં આગળ વધ્યું અને આતંકવાદ, હિંસા અને ગરીબીને કારણે પાકિસ્તાન પાછળ રહી ગયું. આવી સ્થિતિમાં પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં રહેલા પીઓકેના લોકો ભારતનો ભાગ બનવા માંગે છે. પીઓકેના આ લોકો ઈચ્છે છે કે પાકિસ્તાનમાં તેમનું જીવન નર્ક જેવું બની ગયું છે તો આવી સ્થિતિમાં તેઓ જલદી ભારતમાં જોડાવા માંગે છે. ત્યાં ભારત સાથે વિલીનીકરણની માંગ દિવસેને દિવસે વેગ પકડી રહી છે.
પાકિસ્તાની સૈન્ય તરફથી તેમના જીવના જોખમને કારણે બ્રિટનમાં નિર્વાસિત જીવન જીવતા પીઓકેના રહેવાસી અજમદ અયુબ મિર્ઝાએ કહ્યું કે દરરોજ પીઓકેના સેંકડો લોકો પૂછે છે કે તેઓ ક્યાં સુધી પાકિસ્તાની સેનાના અત્યાચારો સહન કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીઓકેના લોકોનું કહેવું છે કે તેઓ સત્તાવાર રીતે ભારતના રહેવાસી છે અને હવે તેઓ ખરેખર ભારતનો ભાગ બનવા માટે રાહ જોઈ શકતા નથી.
મિર્ઝા કહે છે કે પાકિસ્તાની શાસકો પીઓકેને આઝાદ કાશ્મીર કહે છે, પરંતુ અહીંના લોકોની હાલત ગુલામો કરતાં પણ ખરાબ છે. દાયકાઓથી આઝાદીના નામે પાકિસ્તાની સેના પીઓકેમાં જુલમ કરી રહી છે અને કાશ્મીરમાં આતંક ફેલાવી રહી છે. હવે લોકો સમજવા લાગ્યા છે કે જે દેશ આર્થિક બરબાદીની આરે બેઠો છે તે તેમના માટે કઈ નહી કરી શકે. આવી સ્થિતિમાં કાશ્મીરમાં ધર્મના નામે જે ઝેર ફેલાવવામાં આવ્યું હતું તેની અસર પણ ઓસરવા લાગી છે.
'પાક સેના અને સરકારનો પીઓકે પર કબજો'
મિર્ઝાએ કહ્યું, પીઓકેના તમામ સંસાધનો પાકિસ્તાની સેના અને સરકારના નિયંત્રણમાં છે. અહીં સામાન્ય લોકોને બે ટાઈમનું ભોજન મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાની નાગરિકે કહ્યું કે પાકિસ્તાની શાસકો પીઓકેને આઝાદ કાશ્મીર કહે છે, પરંતુ અહીંના લોકોની હાલત ગુલામો કરતા પણ ખરાબ છે. દાયકાઓથી પાકિસ્તાની સેના પીઓકેમાં આઝાદીના નામે અત્યાચાર કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ રાજ્યોના 22 સ્થળોએ જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ ઠેકાણાઓ પર એનઆઈએની ટીમો ત્રાટકી
October 05, 2024 10:58 AMઆવતા વર્ષે માર્ચમાં લેવાનારી કેટની પરીક્ષાનું જાહેરનામું શિક્ષણ વિભાગે પ્રસિધ્ધ કયુ
October 05, 2024 10:57 AMદ્વારકામાં જુના મનદુઃખનો ખાર રાખી નવ શખ્સો દ્વારા પાઈપ-ધોકા વડે હુમલો
October 05, 2024 10:56 AMમાંડાસણમાં આંગણવાડી મહિલા કાર્યકર ઊપર પતિ દ્વારા જીવલેણ હુમલો
October 05, 2024 10:54 AMહાઈકોર્ટનાં આદેશોને રદ કરવા બાબતે કાયદો બનાવશે સુપ્રીમ
October 05, 2024 10:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech