જામનગર મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડીને સોળ જેટલા ખાદ્યપદાર્થોના નમૂના લઇને પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે, આ ઉપરાંત ૩ પેઢીને ડેજીગ્નેટેડ ઓફિસરની મંજુરી મળ્યા બાદ કલેકટર કચેરીમાં એડ્જયુડીકેટીંગ સમક્ષ ૩ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ડીએમસી ભાવેશ જાનીની સૂચનાથી ફૂડ શાખાના પી.એસ.ઓડેદરા, નિલેશ જાસોલીયા, ડી.બી. પરમાર સહિતના અધિકારીઓએ જામનગરમાં ગ્રેઇન માર્કેટ, હીરજી મિસ્ત્રી રોડ, પટેલ કોલોની, રણજીતનગર, રણજીતસાગર રોડ, ઇન્દીરા માર્ગ, હવાઇચોક, જુના રેલ્વે સ્ટેશન, ખંભાળીયા નાકા બહાર વિગેરે વિસ્તારમાં પાંચ જગ્યાએ અડદીયા, ૩ જગ્યાએ દૂધ, બે જગ્યાએ સાની, એક જગ્યાએ મગફળીની ચીક, એક જગ્યાએ ગોળ તલની ચીકી, એક પેઢીમાંથી ખજૂર અને એક પેઢીમાંથી સ્પે. ચીકીના નમૂના લઇને ૧૬ જેટલા ખાદ્યપદાર્થો લેબમાં મોકલી અપાયા હતા, આ ઉપરાંત ત્રણ દરવાજા પાસે ભેરૂનાથ આઇસ્ક્રીમમાંથી લસ્સી, કાલાવડ ગેઇટ રોડ પર હિન્દુસ્તાન ડેરી, લીમડાલાઇનમાં અશોક બેકરી, ૩ પેઢીની ડેજીનેટેડ ઓફિસરની મંજુરી બાદ નિર્ણય માટે કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચહેરા પર લસણ ઘસવાનો ટ્રેન્ડ ઈન્સ્ટાગ્રામ પર થઈ રહ્યો છે વાયરલ, જાણો શું છે તેના ફાયદા અને ગેરફાયદા
September 20, 2024 03:08 PMવૃન્દાવન રાસોત્સવ-૨૦૨૪ માટે આયોજકોએ લોહાણા સમાજને આપ્યો લાગણીભીનો સંદેશ
September 20, 2024 03:04 PMકુશ વિના તર્પણ કરવાથી થઇ શકે છે અપશુકન, જાણો આ પાછળની માન્યતા
September 20, 2024 03:02 PMશહેનશાહની સરળતા: શબ્દના ખોટા ઉચ્ચાર બદલ માફી માગી
September 20, 2024 02:46 PM'સ્ત્રી 2'ના 'આઈ નહીં'ના કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ,કોર્ટમાં રજુ કરાશે
September 20, 2024 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech