ભાવનગર : નારી ચોકડી પાસેના દસનાળા પર કાર સળગી ઉઠતા ચાલક ભડથું

  • May 18, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

રાજુલાના આધેડ અમદાવાદ થી પેસેન્જર ઉતારી પરત રાજુલા જઈ થયા હતા ત્યારે સર્જાયો અકસ્માત


રાજુલા ખાતે રહેતા અને કાર ચલાવવા ની વ્યવસાય કરતા આઘેડ રાજુલાથી પેસેન્જર ભરી ને અમદાવાદ ઉતારવા માટે ગયા હતા અમદાવાદ પેસેન્જર ઉતારી પોતાની ઇકો કાર લઈને રાજુલા જતા હતા ત્યારે ભાવનગર થી થોડે દૂર આવેલા દસ નાળા પાસે અજાણ્યા વાહનની ઠોકરે આવી જતા કારમાં આગ ભભુકી ઉઠી હતી.આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ થતાં ફાયર સ્ટાફે સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીઘી હતી.આગમાં કાર ચાલક ભડથું થઈ ગયો હતો વરતેજ પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પી એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ

રાજુલા શહેરમાં રહેતા અને કાર ચલાવી જીવન નિર્વાહ કરતા હનિફ દાદુ કુરેશી ઉમર વર્ષ ૫૨ રાજુલાથી પેસેન્જર લઈને અમદાવાદ પેસેન્જર ઉતારવા ગયો હતા દરમ્યાન અમદાવાદથી પેસેન્જર ઉતારી મારૂતિ ઈકો કાર નં-જી-જે-૧૪-એપી-૭૧૦૬ લઈને રાજુલા જઈ રહ્યાં હતાં તે દરમિયાન નારી પાસે આવેલા દસનાળા નજીક આ કારને અજાણ્યા વાહને અડફેટે લેતાં કાર સળગી ઉઠી હતી કાર સળગી હોવાની સંદેશો ૧૦૮ એમવ્યુલન્સ નાં બ્રીજેશભાઈ વ્યાસે ફાયર બ્રિગેડ ને કર્યાની સાથે ફાયર સ્ટાફ ધટના સ્થળે પોહોચી કાર પર પાણીનો છંટકાવ કરી આગને બુઝાવી દીધી હતી કારમાં રહેલ ચાલક ભડથું થઈ ગયા હતા અને કાર પણ સંપૂર્ણ પણે ખાક થી જવા પામી હતી આ ધટનાની જાણ થતાં વરતેજ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પી એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application