ગુજરાતમાં આંતરિક હવાઈ સેવા શરૂ કરવા ટૂંકમાં એવીએશન પોલિસી જાહેર કરાઈ

  • September 11, 2024 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકાર આગામી દિવસોમાં પોતાની નવી એવીએશન પોલિસી જાહેર કરશે જેમાં મુખ્યત્વે ગુજરાતમાં આંતરિક હવાઈ સેવા શ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરાશે. આ માટે સ્થાનિક કક્ષાના એરપોર્ટ માટેની જરી માળખાકીય સુવિધા ઉભી કરવા માટે થઈને અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે જેના આધારે આવતા દિવસોમાં ગુજરાત સરકારના નાના એરપોર્ટ અને પ્રવાસન સુવિધામાં વધારો કરવામાં આવશે.
વર્ષ ૨૦૨૩માં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ૧૧ જેટલા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા માટે સમજૂતી કરાર કર્યા હતા.જેમાં અંકલેશ્વર મોરબી રાજપીપળા, બોટાદ દ્રારકા ધોરડો રાજુલા, દાહોદ અંબાજી ધોળાવીરા અને પાલીતાણા નો સમાવેશ થાય છે
ગુજરાત સરકાર રાયની અંદર પ્રાદેશિક કનેકિટવિટી સુધારવા માટે નાગરિક ઉડ્ડયન નીતિનું જાહેર કરવાની તૈયારીમાં છે. આ નીતિનો હેતુ ગુજરાતના શહેરો અને નગરોને એકીકૃત રીતે જોડતી હવાઈ સેવાઓનું કાર્યક્ષમ, અસરકારક અને વિશ્વસનીય નેટવર્ક સ્થાપિત કરવાનો છે. જેના પરિણામે રાયના પ્રવાસન ઉધોગને વેગ મળશે તેવો વિશ્વાસ વ્યકત કરવામાં આવી રહ્યો છે.
હાલ રાય સરકાર દવારા વધારાની માળખાકીય સુવિધાઓ નક્કી કરવા માટે હાલના એરપોર્ટની એરસ્ટ્રીપ્સ અને હેલપેડનો અભ્યાસ હાથ ધરવામાં આવી રહયો છે.રાયના નાગરિક ઉડ્ડયન વિભાગે, અન્ય વિભાગો સાથે મળીને, ગુજરાતના શહેરો અને નગરો વચ્ચે હવાઈ મુસાફરીને સફળ બનાવવાના હેતુથી નીતિ ઘડવાની કવાયત શ કરી છે.
રાયમાં આંતરિક હવાઈ સેવા શ કરતા પહેલા અન્ય રાયોના સફળ મોડેલો અભ્યાસ શ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતના વિવિધ શહેરો અને નગરોને જોડતી હેલિકોપ્ટર સેવાનું અભાવ જોવા મળી રહ્યો છે. આ માટે ગુજરાતના શહેરોના વિવિધ પાસાઓનો અભ્યાસ કરવામાં આવી રહી છે, જેમાં અન્ય રાયોના સફળ અમલીકરણ મોડલનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
હાલમાં, ગુજરાત પાસે તેના વિવિધ શહેરો અને નગરોને જોડતી હેલિકોપ્ટર સેવાઓનો અભાવ છે.જે અન્ય રાયમાં સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે.ગુજરાતની અંદર નવા ટ સ્થાપિત કરવા અને લાઈટસની આવર્તન વધારવા માટે વધુ આકર્ષક વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામા આવી રહયો છે.
રાયમાં હાલના એરપોટર્સ, એરસ્ટ્રીપ્સ અને હેલિપેડનો અભ્યાસ રાય સરકારને વધારાની માળખાકીય સુવિધાઓ નક્કી કરવામાં મદદ કરવા, હવાઈ મુસાફરી સુવિધાઓને વિસ્તૃત કરવા માટે જરી છે.ગુજરાત સરકાર દ્રારા આંતરિક હવાઇ સેવા શ કરવા માટે એરલાઇન્સ ને આકર્ષક સુવિધાઓ આપવામાં આવશે આ પહેલનો ઉદ્દેશ્ય ગુજરાતના શહેરો અને નગરોને એકીકૃત રીતે જોડતી હવાઈ સેવાઓનું કાર્યક્ષમ, ખર્ચ–અસરકારક સંચાલન કરી શકાય તેવું નેટવર્ક સ્થાપિત કરવાનો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application