હોસ્પિટલો તૂટી રહી છે, પાણી કે વીજળી પણ લોકોને નથી મળી રહ્યા, ૧.૪ મિલિયન લોકો વિસ્થાપિત થયા : યુએન એજન્સી
સંયુક્ત રાષ્ટ્ર એજન્સીઓએ ચેતવણી આપી છે કે ગાઝા પટ્ટીમાં સામાન્ય લોકો ભયંકર સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે તમામ પક્ષોને પરિસ્થિતિને બગડતી અટકાવવા પર્યાપ્ત માનવતાવાદી સહાય પૂરી પાડવા હાકલ કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પૂર્વીય ભૂમધ્ય ક્ષેત્રના રીજનલ ઈમરજન્સી ડીરેક્ટર રિક બ્રેનને મંગળવારે જણાવ્યું હતું કે, બોમ્બમારો અને હુમલાના કારણે પાંચ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તેમાંથી અડધા મહિલાઓ અને બાળકો હોઈ શકે છે.
બ્રેનન કૈરોથી પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ગાઝાની એક તૃતીયાંશ હોસ્પિટલો હવે બંધ છે. લાંબી બિમારીઓથી પીડિત લોકો તેઓને જોઈતી સેવાઓનો ઉપયોગ કરવામાં અસમર્થ છે અને તેમના મૃત્યુદરમાં વધારો થવાની સંભાવના છે. વુના અધિકારીના જણાવ્યા અનુસાર, અંદાજે ૧૫૦ થી ૨૦૦ મહિલાઓ ત્યાં દરરોજ નવજાતને જન્મ આપી રહી છે અને જે મહિલાઓને ડિલિવરી દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે અને તેનું બાળક વધુ જોખમમાં છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, અંદાજે ૧.૪ મિલિયન લોકો હવે ગંભીર રીતે વિસ્થાપિત થયા છે. આટલા ટૂંકા ગાળામાં આટલી મોટી સંખ્યામાં લોકોનું વિસ્થાપિત થવું અભૂતપૂર્વ છે. આ અતિ મુશ્કેલ પરિસ્થિતિ છે. ચેપી રોગો પણ ઝડપથી ફેલાઈ શકે છે. બ્રેનને એ પણ ભાર મૂક્યો હતો કે હોસ્પિટલો અને એમ્બ્યુલન્સની કામગીરી માટે બળતણ જરૂરી છે. વુ મોટા પાયે સુરક્ષિત માનવતાવાદી કામગીરીની હિમાયત કરવાનું ચાલુ રાખે છે.
યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઈન રેફ્યુજીસ (યુએનઆરડબ્લ્યુએ) ના તમરા અલરીફાઈએ અમ્માનથી એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ૨૧ ઓક્ટોબરથી મદદ પુરવઠાના ત્રણ કાફલા ૫૪ ટ્રક સાથે ગાઝા પટ્ટીમાં પ્રવેશ્યા છે. તેમણે કહ્યું હતું કે સંઘર્ષ પહેલાં, ગાઝા પટ્ટીમાં દરરોજ ૫૦૦ ટ્રક આવતી હતી, તેથી છેલ્લા ત્રણ દિવસમાં ગાઝા પહોંચેલી દરરોજની ૧૫ થી ૨૦ ટ્રકો જરૂરિયાત કરતાં ઘણી ઓછી હતી.
તેમણે જણાવ્યું હતું કે યુએનઆરડબ્લ્યુએ એ માનવતાવાદી નાકાબંધી હટાવવાની હાકલ કરી હતી અને ગાઝા પટ્ટીમાં માનવતાવાદી સહાયની પહોંચ ચાલુ રાખવા અને અવરોધ વિનાની વિનંતી કરી હતી. વિસ્થાપિત લોકોને ટૂંક સમયમાં શિયાળા માટે ગરમ કપડાંની જરૂર પડશે. આ બરબાદીના કારણે, ઘણા લોકો ખુલ્લામાં સૂઈ રહ્યા છે, જેના માટે શિયાળો ખૂબ મુશ્કેલ બની જશે."
હોસ્પિટલો લગભગ તૂટી રહી છે, બજારોમાંથી ખોરાક ગાયબ થઈ રહ્યો છે અને યુએનઆરડબ્લ્યુએ વડાએ જાહેરાત કરી કે અમારી પાસે ફક્ત ત્રણ દિવસ માટે પૂરતું બળતણ છે. જો ગાઝાને ઈંધણનો પુરવઠો નહીં મળે તો અમારી કામગીરી બંધ થઈ જશે. આનો અર્થ એ છે કે ડિસેલિનેશન પ્લાન્ટ્સ, ગટર વ્યવસ્થા, હોસ્પિટલો જેવા આપણાથી સંબંધિત અન્ય ક્ષેત્રો પણ બંધ થઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech