સુશાંત સિંહ રાજપૂત અને ધોનીના ફેન્સ માટે ખુશ ખબર, આ તારીખે ફરી થિએટર્સમાં જોવા મળશે ‘થાલા’ની બાયોપિક  

  • July 05, 2024 11:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતે 17 વર્ષ બાદ ફરી એકવાર T20 વર્લ્ડ કપ જીત્યો છે. સમગ્ર દેશમાં તેની ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે મુંબઈમાં વિજય પરેડ પણ કાઢવામાં આવી હતી. આ જીત સાથે, રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમનો ત્રીજો કેપ્ટન બન્યો જેની કેપ્ટન્સીમાં ભારતે વર્લ્ડ કપ જીત્યો છે. મહેન્દ્ર સિંહ ધોની આવું કરનાર બીજા કેપ્ટન હતા.


2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ જીતની ઉજવણી કરવા માટે બોલિવૂડે 2016માં મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ રિલીઝ કરી હતી. આ ફિલ્મમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે એમએસ ધોનીની ભૂમિકા ભજવી હતી. હવે સુશાંત સિંહ અને મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે સારા સમાચાર છે.


મહેન્દ્ર સિંહ ધોનીના 43માં જન્મદિવસ પર એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ નિર્માતાઓએ ફરી એકવાર મહેન્દ્ર સિંહની બાયોપિક રિલીઝ કરવાની યોજના બનાવી છે. મહેન્દ્ર સિંહ ધોની 7મી જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવશે. આ ફિલ્મ PVR આઈનોક્સ ખાતે 05 થી 11 જુલાઈ દરમિયાન બતાવવામાં આવશે.


મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતના અભિનયના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત ઉપરાંત દિશા પટણી, કિયારા અડવાણી અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને સુશાંત સિંહના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.



સુશાંત સિંહ રાજપૂતે વર્ષ 2020માં દુનિયાને અલવિદા કહી દીધું. સુશાંત સિંહના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને તેના ચાહકોથી લઈને ફિલ્મી દુનિયાના સ્ટાર્સ સુધી બધા સ્તબ્ધ થઈ ગયા હતા. સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચરા હતી જે ઓટીટી પર રિલીઝ થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application