ગુજરાતના નર્મદા જિલ્લા ખાતે કેવડિયામાં વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થયા બાદ અહીં દેશ વિદેશથી સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. ત્યારે ખાસ કરીને સામાન્ય દિવસોમાં રવિવાર હોય કે રજાના દિવસો કે વેકેશનનો માહોલ હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પ્રવાસીઓની ભારે ભીડ જામતી હોય છે. આવતીકાલે 31મી ડિસેમ્બર છે વર્ષનો અંતિમ દિવસ છે ત્યારે 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે લોકો ફરવા જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સહેલાણીઓ ઉમટી પડયા છે. એટલું જ નહીં આ વર્ષે તો અહીં 50 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત કરી હોવાનો રેકોર્ડ થયો છે.
આપને જણાવી દઇએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેના અનાવરણ બાદથી તે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ સ્થળની મુલાકાતને લોકો પ્રાથમિકતા આપતા આવ્યા છે. ત્યારે દરેક વર્ષે અહીં આવતા મુલાકાતીઓની સંખ્યામાં સતતને સતત રેકોર્ડ બ્રેક વધાતો નોંધાતો જાય છે. ત્યારે આ વર્ષે પચાસ લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.
વર્ષ 2018માં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારે એ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત આશરે સાડાચાર લાખ લોકોએ કરી હતી. ત્યારે હવે માત્ર પાંચ વર્ષના સમયમાં પ્રવાસીઓની મુલાકાતનો આંકડો પચાસ લાખ સુધી પહોંચી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech