રાજકોટ મનપા કચેરીએ ફરી વાલ્મીકિ સમાજના સફાઈ કર્મીઓને રેલી અંગે મંજૂરી ન મળતાં કહ્યું, "અમારી એકની રેલી જ ટ્રાફિક સર્જે છે બાકી હજારો રેલી તંત્રને નથી નડતી ?"

  • May 15, 2023 01:54 PM 

રાજકોટ મનપા કચેરીએ ફરી વાલ્મીકિ સમાજના સફાઈ કર્મીઓના ધામા, રેલી અંગે મંજૂરી ન મળતાં કહ્યું, "અમારી એકની રેલી જ ટ્રાફિક સર્જે છે બાકી હજારો રેલી તંત્રને નથી નડતી ?"


રાજકોટમાં આજે ફરી મનપા કચેરીએ વાલ્મીકિ સમાજના સફાઈ કર્મીઓના ધામા જોવા મળ્યા હતા. વાલ્મીકિ સફાઈ કર્મીઓની કાયમી ભરતી ન થતાં રેલી અને ધરણાંની મંજુરી માટે મનપા કમિશનરને રજૂઆત કરાઈ હતી. જોકે મંજૂરી ન મળતાં સફાઈ કર્મીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 

છેલ્લા 26 વર્ષથી રાજકોટમાં વાલ્મીકિ સમાજના સફાઈ કામદારોની કાયમી ભરતી નથી થઈ. જેને લઇને છેલ્લા કેટલાય સમયથી ભરતી મામલે સફાઈ કર્મીઓ લડત આપી રહ્યા છે. ત્યારે આજે ફરી મનપા કચેરીએ વાલ્મીકિ સફાઈ કર્મીઓના ધામા જોવા મળ્યા હતા. રેલી અને ધરણાંની મંજુરી માટે મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી નથી. પરંતુ મંજૂરી ન મળતાં સફાઈ કર્મીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application