રાજકોટ પુરવઠા નિરીક્ષકની ટીમ જસદણ પુરવઠા કચેરી ખાતે મીટીંગ અર્થે આવી રહી હતી. ત્યારે રસ્તામાં તેમને બાતમી મળી હતી કે જસદણના આટકોટ ગામની મેઈન બજારમાં આવેલ લીંબડી-પીપળી ચોક પાસે મોહમ્મદભાઈ આમદભાઈ મુળવદીયા નામનો દુકાનદાર પોતાની દુકાનમાં સરકારી અનાજનો જથ્થો ગ્રાહકો પાસેથી ખરીદ કરીને મુક્ત બજારમાં વહેંચે છે. જે બાતમીના આધારે પુરવઠા નિરીક્ષક સહિતની ટીમે તે દુકાન પર દરોડો પાડતા તે દુકાન દ્વારા તંત્રની ટીમ પહોંચે તે પૂર્વે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને તેનો મોબાઈલ પણ બંધ કરી દીધો હતો. બાદમાં રાજકોટ પુરવઠા નિરીક્ષકની ટીમે સ્થળનું રોજકામ કરી તે દુકાનને સીલ મારી દીધું હતું. બાદમાં તે દુકાનના શટર પર જ્યાં સુધી કોઈ સક્ષમ સત્તાધિકારી આ દુકાનની તપાસણી કરવા માટે ન આવે ત્યાં સુધી આ શટર ખોલવા પર મનાઈ કરવામાં આવે છે અને સક્ષમ સત્તાધિકારીની હાજરીમાં જ આપે આ દુકાન ખોલવાની રહેશે તેવી નોટીસ લગાવી દીધી હતી. હાલ આ સમગ્ર મામલે જસદણ પુરવઠા વિભાગની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech