સિક્કિમ : સેનાના જવાનોની મહેનતે હિમવર્ષામાં ફસાયેલા 500 પ્રવાસીઓનો આબાદ બચાવ  

  • February 22, 2024 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માઈનસ ડિગ્રી તાપમાનમાં પણ જવાનોનો ઉત્સાહ ચોકાવનારો ; રેસ્ક્યુ ઓપરેશનના વિડીયોએ જીત્યું દેશવાશીઓનું ડીલ 

અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે ગતરોજ પૂર્વ સિક્કિમના નટુલામાં ૫૦૦ પ્રવાસીઓ ફસાયા હતા, પરંતુ સેનાના જવાનોની મહેનત અને સમયસુચકતાના કારણે તમામનો આબાદ બચાવ થયો છે. ભારતીય સેનાએ અહેવાલ આપ્યો હતો કે ૨૧ ફેબ્રુઆરીએ અચાનક ભારે હિમવર્ષાને કારણે ૫૦૦ થી વધુ પ્રવાસીઓને લઈ જતા લગભગ ૧૭૫ વાહનો ફસાયા હતા. આ ઘટનાના કેટલાક વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાઈરલ થઇ રહ્યા છે. જેમાં યુઝર્સ તેમની આ મદદને બિરદાવી રહ્યા છે.
​​​​​​​

સેનાએ વધુમાં કહ્યું કે ભારતીય સેનાની ત્રિશક્તિ કોર્પ્સ સિક્કિમમાં સરહદોની રક્ષા કરતી વખતે નાગરિક વહીવટ અને લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. આ પહેલા ૨૦ ફેબ્રુઆરીએ સીઆરપીએફ જવાનોએ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં ભારે હિમવર્ષાને કારણે ફસાયેલા વાહનોની મદદ કરી હતી. અહીં ભારે વરસાદ અને હિમવર્ષા જોવા મળી હતી, જેના કારણે ભૂસ્ખલનને કારણે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે સહિત ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application