જામનગરમાં નવરાત્રી અને વિજયા દશમીના પર્વ દરમ્યાન શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ. જામનગરમાં ભોયવાળા વિસ્તારમાં આવેલ અંબિકા ગરબી મંડળમાં નવરાત્રી દરમ્યાન અને વિજયા દશમીના અવસરે પવનચક્કી વિસ્તારમાં આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને માતૃ શક્તિ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
આ શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં સ્વામી નારાયણ મંદિર બેડી ગેઇટના કોઠારી પૂ.ચતુર્ભુજ સ્વામીજી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી, બજરંગ દળના પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા, વિભાગ સહમંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, મંત્રી હેમંતસિંહ જાડેજા, સહમંત્રી સુરેશભાઇ ગોંડલિયા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા.
આ ઉપરાંત માતૃ શક્તિ વિભાગના પ્રાંત સહ સંયોજીકા હિનાબેન અગ્રાવત, પ્રફુલ્લાબેન અગ્રાવત, સ્વરૂપબા જાડેજા,ભાવનાબેન ગઢવી, વર્ષાબેન નંદા, રેખાબેન નાનાણી, બજરંગદળ સહ સંયોજક ભૈરવભાઇ ચાંદ્રા, ધ્રુમિલ લંબાટે, જીલ બારાઈ સહિતના અગ્રણી હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી અસત્ય પર સત્યના વિજયના વધામણા કરી શસ્ત્ર પૂજન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech