અર્જુન એવોર્ડના સન્માન માટે ભાવુક થયો શમી, જાણો સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં શું કહ્યું?

  • January 11, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વનડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અર્જુન એવોર્ડથી મોહમ્મદ શમીને સન્માનિત કરવામાં આવ્યો હતો. શમીએ આ એવોર્ડ મળવાની ખુશી તેના પરિવાર સાથે શેર કરી હતી. આ દરમિયાન શમીએ ઈમોશનલ પોસ્ટ શેર કરીને ફેન્સ અને પરિવારનો આભાર માન્યો છે.


કોઇ પણ ખેલાડી માટે અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરવો એ એક સિધ્ધિ અને ગૌરવની ક્ષણ બની રહે છે. ત્યારે મોહમ્મદ શમીએ અર્જુન એવોર્ડના સન્માનની ખુશી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી આ વેળા ખૂબ જ ભાવુક થઇ ગયો હતો. અર્જુન એવોર્ડ મળવાની ખુશી મોહમ્મદ શમીએ તેના પરિવાર સાથે શેર કરી અને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે નબળાં સમયમાં સાથ આપવા બદલ તેના પરિવાર અને ચાહકોનો આભાર માન્યો છે. સાથે જ કહ્યું હતું કે, આ એવોર્ડ તેના માટે ખૂબ જ મહત્વનો છે. આ એવોર્ડ માટે તે આભારી છે. આ એવોર્ડ તેને વધુ ઉત્સાહ સાથે આગળ વધવા માટે પ્રેરિત કરશે. આ એવોર્ડ પ્રાપ્ત કરી તે સન્માનની લાગણી અનુભવી રહ્યાનું પણ પોસ્ટમાં જણાવ્યું હતું.


અર્જુન પુરસ્કાર પ્રાપ્ત કરતા શમી તો ભાવુક થયો હતો. સાથે જ તેણે કરેલી પોસ્ટમાં પણ તેની ભાવના અને લાગણી છલકાયા હતા. તેણે આ તકે માતાપિતા અને તેના ફેન્સને પણ યાદ કર્યા હતા. તેણે સૌ પ્રથમ માતાપિતાનો આભાર માન્યો હતો. તેમજ પરિવારના સભ્યો, મિત્રો અને ચાહકોના બલિદાન, સમર્થન, પ્રેમ અને સંભાળ માટે આભાર માન્યો હતો. આપને જણાવી દઇએ કે શમીની આ પોસ્ટને ઘણી લાઇક્સ અને કમેન્ટ્સ મળી રહી છે. અર્જુન એવોર્ડ મેળવનારો તે 58મો ભારતીય ક્રિકેટર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application