સિડ-કિયારાના લગ્નમાં ધૂમ મચાવવા જેસલમેર પહોચ્યા શાહિદ-મીરા અને કરણ જોહર, અન્ય બોલીવૂડ સેલીબ્રીટીઝ પણ લગ્નના બનશે મહેમાન

  • February 06, 2023 12:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આવતીકાલે કપલ એકબીજા સાથે સાત ફેરા લઈ શકે છે. હવે મહેમાનો પણ કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં હાજરી આપવા જેસલમેર જવા રવાના થઈ ગયા છે.

શાહિદ કપૂર અને મીરા કપૂરના લગ્નમાં હાજરી આપવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. હવે બંને રવિવારે સવારે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. શાહિદ કપૂર અને મીરા રાજપૂત કાલિના એરપોર્ટ પર જોવા મળ્યા હતા. 

શાહિદ ઉપરાંત કરણ જોહર પણ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. કરણ જોહર સિદ્ધાર્થ અને કિયારા બંનેની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. સિદ્ધાર્થ મલ્હોત્રાને બોલિવૂડમાં કરણ જોહરે લોન્ચ કર્યો હતો. બંને લાંબા સમયથી મિત્રો છે.

કરણ અને કિયારા અડવાણીની ખૂબ નજીક માનવામાં આવે છે. કિયારા અને સિદ્ધાર્થે તેમના શો કોફી વિથ કરણમાં તેમના લગ્ન વિશે સંકેત આપ્યા હતા. ઘણા સમયથી એવા અહેવાલો હતા કે કરણ તેમના લગ્નમાં ખાસ મહેમાનોની યાદીમાં સામેલ છે. હવે કરણ રવિવારે સવારે કાલીના એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

કિયારા અને સિદ્ધાર્થના લગ્નની વિધિ આજથી એટલે કે 5 ફેબ્રુઆરીથી શરૂ થશે અને આવતીકાલે 6 ફેબ્રુઆરીએ બંને સાત ફેરા લઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application