લાખો પરીક્ષાર્થીઓના ભાવી સાથે શાળા તથા કોલેજ સંચાલકોના ચેડા, કેન્દ્રો નહી મળે તો તલાટી મંત્રીની પરીક્ષા નહી લેવાય : હસમુખ પટેલ

  • April 08, 2023 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક પછી એક પરીક્ષાનાં પરિણામો તેમજ પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે આજે ફરી પંચાયત સેવા પસંદગી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે તલાટીની પરીક્ષા અંગે મોટું નિવેદન આપ્યું છે. સૂત્રો મુજબ આગામી 30 એપ્રિલનાં રોજ તલાટીની પરીક્ષા લેવાય તેવી સંભાવનાઓ છે.


નોંધનીય છે કે આવતીકાલે [09.04.2023] જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા પણ પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે ટ્વિટમાં એવું પણ જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા ચકાસ્યા બાદ કન્ફોર્મ પરીક્ષાની તારીખ કરાશે જાહેર કરવામાં આવશે.
​​​​​​​

16 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટ્વિટ કરીને ઉમેદવારો તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની પરીક્ષા 23 એપ્રિલનાં રોજ લેવા માંગે છે. તેવી જાહેરાત કરી હતી. પરંતું હવે નવી સંભવિત તારીખ 30 એપ્રિલ રાખવામાં આવી શકે છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષે જણાવ્યું છે કે, કોલેજ પ્રશાશન બિલ્ડીંગ જ નથી ફાળવી રહી. ગુજરાતના શાળા સંચાલકોના શરમજનક વર્તનના કારણે આશે 17 લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે. અમદાવાદની 500 પૈકી માત્ર 80 કોલેજમાં જ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. સામા પક્ષે હાલ પરીક્ષાને મામલે વધતા જતા નિયમોના કારણે શાળા-કોલેજ પ્રશાશન આવું કરી રહ્યા હોવાનું જણાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application