જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આર.ટી.ઓ. કચેરી દ્વારા વાહન ફીટનેશ કેમ્પનું આયોજન

  • January 05, 2023 09:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાની જાહેર જનતાને વાહનના ફીટનેશ માટે સામાજિક અંતર જળવાઇ રહે અને કોવિડ-૧૯ની ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તેમ જિલ્લાના વિવિધ તાલુકા સ્થળો પર વાહનોના ફીટનેશ ઇન્સપેકશનમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. જે અંતર્ગત આર.ટી.ઓ. કચેરી, જામનગર દ્વારા ધ્રોલમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયો ડીઝલના પંપ પાસે તા.૧૬/૦૧/૨૦૨૩ના રોજ, કાલાવડમાં મુ. GEB ઓફિસની સામે, વાવડી રોડ પાસે તા.૧૭/૦૧/૨૦૨૩ના રોજ, લાલપુરમાં તા.૧૮/૦૧/૨૦૨૩ના રોજ લાલપુર માર્કેટિંગ યાર્ડની સામે, ૬૬ KV બાજુનું મેદાન આગળ, તેમજ જામજોધપુર ખાતે જામજોધપુર ગૌશાળા પાસે, નદીના કાંઠા પરનું મેદાન સ્થળે તા.૧૮/૦૧/૨૦૨૩ના રોજ તમામ પ્રકારના વાહનોનો ફીટનેશ ઇન્સ્પેકશન કેમ્પ યોજાશે.


ઉપરોક્ત સ્થળ અને તારીખે માત્ર ઉપર સૂચવેલ વિગતે જ વાહનોના ફીટનેશ થશે. ફીટનેશ રીન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઇન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે. જે વાહનોનું પી.યુ.સી. સર્ટિફિકેટ ઓનલાઈન કઢાવેલ હશે તેનું જ ફિટનેસ ઇન્સ્પકેશન કરી આપવામાં આવશે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application