નાગપુરમાં આયોજીત સંઘની વાર્ષિક 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા' પરિષદમાં સંઘના સહ-સરકાર્યવાહ મનમોહન વૈદ્યએ નવા ફેરફારની કરી જાહેરાત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેના વાર્ષિક તાલીમ કાર્યક્રમોની સામગ્રી અને શબ્દાવલીમાં ફેરફાર કર્યા છે અને આ સુધારાઓ આ વર્ષથી લાગુ કરવામાં આવશે. સંઘના સહ-સરકાર્યવાહ મનમોહન વૈદ્યે ગતરોજ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો સંઘનો ભાગ બનવા માટે આગળ આવી રહ્યા છે ઉપરાંત લઘુમતી સમુદાયના લોકો પણ સંઘની શાખાઓ અને તેની પ્રવૃત્તિઓમાં પહેલેથી જ સામેલ છે.
તેમણે ગતરોજ નાગપુરમાં શરૂ થયેલી સંઘની વાર્ષિક 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા' પરિષદ દરમિયાન પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આરએસએસના સાત દિવસીય 'પ્રાથમિક શિક્ષા વર્ગ', 20 દિવસના 'સંઘ શિક્ષા વર્ગ-પ્રથમ વર્ષ', 20 દિવસીય 'પ્રાથમિક શિક્ષા વર્ગ'. 25 દિવસના 'શિક્ષા વર્ગ - દ્વિતીય વર્ષ' અને 25-દિવસના 'સંઘ શિક્ષા વર્ગ - તૃતીય વર્ષ' તાલીમ કાર્યક્રમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. વૈદ્યે વધુમાં કહ્યું કે સંઘના નવા કાર્યકરો માટે ત્રણ દિવસીય 'પ્રારંભિક વર્ગ' કાર્યક્રમ છે. આ પછી નવા કાર્યકરો 'પ્રાથમિક શિક્ષણ વર્ગ'માં ભાગ લેશે, જે પછી 15 દિવસીય 'સંઘ શિક્ષા વર્ગ' કાર્યક્રમમાં ભાગ લેશે, જેને પહેલા 'સંઘ શિક્ષા વર્ગ-પ્રથમ વર્ષ' કહેવામાં આવતું હતું અને તેની અવધિ 20 દિવસ હતી.
તેમણે કહ્યું કે સંઘના પ્રશિક્ષણ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં યુવાનો ભાગ લઈ રહ્યા છે. દર વર્ષે 15,000 થી 17,000 યુવાનો 'પ્રથમ શિક્ષા વર્ગ' માં ભાગ લે છે અને લગભગ એક લાખ યુવાનો 'પ્રાથમિક શિક્ષા વર્ગ'માં ભાગ લે છે. વૈદ્યે કહ્યું, "હવેથી, 'સંઘ શિક્ષા વર્ગ' (પ્રથમ વર્ષ) કાર્યક્રમ 15 દિવસનો રહેશે. આરએસએસ નેતાએ કહ્યું કે 'બીજા વર્ષ' અને 'ત્રીજા વર્ષ'ના તાલીમ વર્ગોને હવે અનુક્રમે 'કાર્યકા વિકાસ વર્ગ-1' અને 'કાર્યકા વિકાસ વર્ગ-2' કહેવામાં આવશે. નવો અભ્યાસક્રમ અને નવી પરિભાષા આ વર્ષથી જ લાગુ કરવામાં આવશે."
આરએસએસ મુજબ 140 કરોડ ભારતીયો "હિંદુ" છે : મનમોહન વૈદ્ય
આરએસએસ પરિષદ દરમિયાન આગામી લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા વૈદ્યે જણાવ્યું હતું કે સંઘ હંમેશા મહત્તમ મતદાન કરવા પર ભાર મૂકે છે અને આરએસએસના કાર્યકરો પણ નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અંગે જાગૃત કરે છે. આરએસએસ લઘુમતીઓ સુધી કેવી રીતે પહોંચશે તે અંગે પૂછવામાં આવતા વૈદ્યએ કહ્યું કે આરએસએસ કહે છે કે 140 કરોડ ભારતીય સમુદાય ફક્ત "હિંદુ" છે, "કારણ કે તમારા પૂર્વજો હિન્દુ હતા અને અમારી સંસ્કૃતિ એક છે. ઉપરાંત લઘુમતીઓ સંઘની શાખાઓ અને સંઘની પ્રવૃત્તિઓમાં પહેલેથી જ સક્રિય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech