રાજકોટ સહિત આસપાસના ગામડાઓના દર્દીઓ માટે આશીર્વાદરૂપ કહી શકાય તે કે.ડી પરવાડીયા હોસ્પિટલની સુવિધામાં ઉમેરો થયો છે. જસદણના આટકોટ ખાતે એક વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ થયું અને હવે કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં કેથલેબનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.
આપણે સૌ જાણીએ છીએ કે કોરોના પછી હ્રદયરોગના કેસ વધી રહ્યા છે. એવામાં કે.ડી પરવાડીયા હોસ્પિટલમાં શરૂ થનાર કેથલેબ આશીર્વાદરૂપ બની રહેશે. હવેથી આટકોટ જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી, બાળકોમાં હૃદયના કાણાની સર્જરી, હૃદયના અનિયમિત ધબકારાની પેસમેકર દ્વારા સારવાર, હૃદયના વાલ્વ બદલવાની સુવિધા મળવા લાગશે.
આગામી તા.7 જૂન એટલે કે આવતીકાલે જ આ હોસ્પિટલમાં કેથલેબનું ઉદઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ તકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે.
અત્યાર સુધીની વાત કરીએ તો કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં 58000 ઓપીડી, 4100 સફળ સર્જરી, 3250 ડાયાલીસીસ, 7000 દર્દીઓને ઈમરજન્સી સારવાર, 300 જેટલા ગોઠણના સાંધા બદલાવવાના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. સાથે જ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આવતી તમામ સારવાર દર્દીઓને ફ્રીમાં આપવામાં આવે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં પેટમાં રહેલી 10 કિલોની ગાંઠનું સફળ ઓપરેશન પણ કરવામાં આવ્યું છે. આ સાથે આગામી દિવસોમાં પણ હોસ્પિટલમાં કેન્સર સેન્ટર શરૂ કરવા અંગેનું આયોજન થઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech